26 નવેમ્બરે કેમ મનાવીએ છીએ સંવિધાન દિવસ? જાણો
26 નવેમ્બરે કેમ મનાવીએ છીએ સંવિધાન દિવસ? જાણો
નવી દિલ્હીઃ 26 નવેમ્બરે ભારતમાં સંવિધાન દિવસ મનાવાવમાં આવે છે, જેની શરૂઆત 2015થી થઈ છે, કેમ કે આ વર્ષે સંવિધાનના નિર્માત ડૉ. ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. જણાવી દઈએ કે 26 નવેમ્બરે 1949ના રોજ ભારતીય સંવિધઆનસભા દ્વારા આ સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ તેને એક લોકતાંત્રિક સરકાર પ્રણાલિની સાથે લાગુ કરવામાં આવ્યું હતું, 26 નવેમ્બરના દિવસને સંવિધાનના મહત્વ અંગે પ્રસાર કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.

વિશ્વમાં ભારતનું સંવિધાન જ સૌથી મોટું
વિશ્વમાં ભારતનું સંવિધાન સૌથી મોટું છે, જેમાં 448 અનુશ્ચેદ, 12 અનુસૂચિ અને 94 સંસોધનો સામેલ છે. 29 ઓગસ્ટ 1947ના રોજ ભારતના સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરતી સમિતિની સ્થાપના થઈ જેમાં અધ્યક્ષના રૂપે ડૉ. ભીમરાવ આંબેડકરની નિયુક્તિ કરવામાં આવી.

હસ્તલેખિત છે સંવિધાન
સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરનાર સમિતિએ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખવામાં કોઈપણ પ્રકારના ટાઈપિંગ કે પ્રિન્ટનો ઉપયોગ કરાયો નહોતો. જે દિવસે સંવિધાન તૈયાર કરવામાં આવી રહ્યું હતું, તે દિવસે વરસાદ થઈ રહ્યો હતો જેને ભારતયી સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે.

સંવિધાન તૈયાર કરવામાં લાગ્યઓ આટલો સમય
સંવિધાનસભામાં સંવિધાન પ્રસ્તુત કર્યા બાદ તેને તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો. સંવિધાન સભાના 284 સભ્યોએ 24 જાન્યુઆરી 1950ના રોજ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને 2 દિવસ બાદ જ પ્રાભાવમાં લાવ્યા હતા.

શું છે આ દિવસનો ઉદ્દેશ્ય
સંવિધાન દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય નાગરિકોને સંવિધાન પ્રત્યે સચેત કરવાનો, સમાજમાં સંવિધાનના મહત્વનો પ્રસાર કરવો અને ડૉ. ભીમરાવ આંબેડકરના યોગદાન તથા એમના આદર્શો-વિચારોને યાદ કરવાનો છે.

સેન્ટ્રલ લાઈબ્રેરીમાં સુરક્ષિત છે સંવિધાન
ભારતીય સંવિધાનની ઓરિજનલ કોપી સંસદ ભવનની લાઈબ્રેરીના એક ખૂણામાં બનેલ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે, જેને વાંચવાની મંજૂરી કોઈને પણ નથી, સંવિધાનની આ પ્રત ક્યારેય ખરાબ ન થાય તે માટે તેને હીલિયમ ભરેલ સૂટકેસમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
