26 નવેમ્બરે કેમ મનાવીએ છીએ સંવિધાન દિવસ? જાણો
26 નવેમ્બરે કેમ મનાવીએ છીએ સંવિધાન દિવસ? જાણો
નવી દિલ્હીઃ 26 નવેમ્બરે ભારતમાં સંવિધાન દિવસ મનાવાવમાં આવે છે, જેની શરૂઆત 2015થી થઈ છે, કેમ કે આ વર્ષે સંવિધાનના નિર્માત ડૉ. ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. જણાવી દઈએ કે 26 નવેમ્બરે 1949ના રોજ ભારતીય સંવિધઆનસભા દ્વારા આ સંવિધાનને અપનાવવામાં આવ્યું હતું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ તેને એક લોકતાંત્રિક સરકાર પ્રણાલિની સાથે લાગુ કરવામાં આવ્યું હતું, 26 નવેમ્બરના દિવસને સંવિધાનના મહત્વ અંગે પ્રસાર કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો.

વિશ્વમાં ભારતનું સંવિધાન જ સૌથી મોટું
વિશ્વમાં ભારતનું સંવિધાન સૌથી મોટું છે, જેમાં 448 અનુશ્ચેદ, 12 અનુસૂચિ અને 94 સંસોધનો સામેલ છે. 29 ઓગસ્ટ 1947ના રોજ ભારતના સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરતી સમિતિની સ્થાપના થઈ જેમાં અધ્યક્ષના રૂપે ડૉ. ભીમરાવ આંબેડકરની નિયુક્તિ કરવામાં આવી.

હસ્તલેખિત છે સંવિધાન
સંવિધાનનો ડ્રાફ્ટ તૈયાર કરનાર સમિતિએ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં લખવામાં કોઈપણ પ્રકારના ટાઈપિંગ કે પ્રિન્ટનો ઉપયોગ કરાયો નહોતો. જે દિવસે સંવિધાન તૈયાર કરવામાં આવી રહ્યું હતું, તે દિવસે વરસાદ થઈ રહ્યો હતો જેને ભારતયી સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે.

સંવિધાન તૈયાર કરવામાં લાગ્યઓ આટલો સમય
સંવિધાનસભામાં સંવિધાન પ્રસ્તુત કર્યા બાદ તેને તૈયાર કરવામાં 2 વર્ષ 11 મહિના અને 17 દિવસનો સમય લાગ્યો. સંવિધાન સભાના 284 સભ્યોએ 24 જાન્યુઆરી 1950ના રોજ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને 2 દિવસ બાદ જ પ્રાભાવમાં લાવ્યા હતા.

શું છે આ દિવસનો ઉદ્દેશ્ય
સંવિધાન દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય નાગરિકોને સંવિધાન પ્રત્યે સચેત કરવાનો, સમાજમાં સંવિધાનના મહત્વનો પ્રસાર કરવો અને ડૉ. ભીમરાવ આંબેડકરના યોગદાન તથા એમના આદર્શો-વિચારોને યાદ કરવાનો છે.

સેન્ટ્રલ લાઈબ્રેરીમાં સુરક્ષિત છે સંવિધાન
ભારતીય સંવિધાનની ઓરિજનલ કોપી સંસદ ભવનની લાઈબ્રેરીના એક ખૂણામાં બનેલ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે, જેને વાંચવાની મંજૂરી કોઈને પણ નથી, સંવિધાનની આ પ્રત ક્યારેય ખરાબ ન થાય તે માટે તેને હીલિયમ ભરેલ સૂટકેસમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
