1.75 લાખ ઘરોનુ ઉદઘાટન કરી PM મોદી બોલ્યા - લાભાર્થીઓને પોતાના સપનાનુ ઘર મળ્યુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ બનાવવામાં આવેલ 1.75 લાખ ઘરોનુ ઉદઘાટન કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ બનાવવામાં આવેલ 1.75 લાખ ઘરોનુ ઉદઘાટન કરશે. તે આ કાર્યક્રમમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે. આ સાથે જ તે યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરશે. આ વિશે પ્રધાનમંત્રીએ શુક્રવારે ટ્વિટ કર્યુ હતુ. તેમણે કહ્યુ, 2022 સુધી દેશના દરેક પરિવારને ઘર આપવાના લક્ષ્યની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ હેઠળ તૈયાર કરવામાં આવેલ આ ઘર એ વાતનો પુરાવો છે કે કોરોના મહામારી પણ વિકાસ કાર્યોમાં અડચણ ન બની શકી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ, ' આજે મધ્ય પ્રદેશના અનેક લાભાર્થીઓને તેમના સપનાનુ ઘર મળ્યુ છે. ગૃહ પ્રવેશ કરનાર બધા બંધુઓને અભિનંદન અને શુભકામનાઓ આપુ છુ. આ સાથી ટેકનોલૉજીના માધ્યમથી આ કાર્યક્રમથી જોડાયા છે. આજે મધ્ય પ્રદેશના લાભાર્થીઓને પોતાનુ પાક્કુ ઘર મળ્યુ છે, પોતાના સપનાનુ ઘર મળ્યુ છે. એક નવો વિશ્વાસ તમારા મનમાં પેદા થયો છે. મધ્ય પ્રદેશના 1.75 લાખ એવા પરિવાર છે જે પોતાના ઘરમાં આજે પ્રવેશ કરી રહ્યા છે, એ બધાને હું અભિનંદન અને શુભકામનાઓ આપુ છુ.'
તેમણે કહ્યુ, 'આ વખતે તમારા બધાની દિવાળી, તમારા બધાના તહેવારોની ખુશીઓ કંઈક અલગ જ હશે. કોરોના કાળ ન હોત તો આજે તમારા જીવનની આટલી મોટી ખુશીમાં શામેલ થવા માટે, તમારા ઘરના એક સભ્ય, તમારા પ્રધાનસેવક તમારી વચ્ચે હોત. આજનો આ કાર્યક્રમ મધ્ય પ્રદેશ સહિત દેશના બધા બેઘર સાથીઓન એક વિશ્વાસ અપાનવાર પળ પણ છે. જેમનુ હજુ સુધી ઘર નથી, એક દિવસ તેમનુ પણ ઘર બનશે, તેમનુ પણ સપનુ પૂરુ થશે.'
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
