ડિજીધન મેલામાં PM મોદીએ લોન્ચ કર્યું ભીમ એપ, જાણો તેની ખૂબી
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવું ભારત બનાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મોદીની આ પહેલથી દેશ ડિજીટલ પેમેન્ટ તરફ તેજીથી વધી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત ડિજીધન મેલામાં હાજીરી આપી હતી. જ્યાં તેમણે ભીમ (BHIM) એપ લોન્ચ કર્યું હતું. આ એપ દ્વારા ખાદી ગ્રામઉદ્યોગના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાશે. ડિજીટલ પેમેન્ટ માટે આ એપને લોન્ચ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બતાવ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરના નામ પરથી આ એપનું નામ ભીમ રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ એપ કોઇ પણ પ્રકારના ઇન્ટરનેટ વગર પણ કામ કરી શકવા સક્ષમ છે. પીએમ મોદીએ કહ્યું કે ડિજીટલ પેમેન્ટ માટે ઇન્ટરનેટ વ્યવસ્થા જરૂરી નથી. આ એપ નેટ વગર પણ ચાલી શકશે.

ભીમ એપ વિષે વધુ જણાવતા મોદીએ કહ્યું કે ડૉ. આંબેડકરનો મંત્ર હતો કે ગરીબોને શક્તિશાળી બનાવવામાં આવે. જે માટે જ અમે આ એપ બનાવ્યું છે. જેથી તમામ વેપાર ભીમ એપ દ્વારા ચાલુ રહી શકે. આ એપ દ્વારા હવે તમારો અંગૂઠો જ તમારી ઓળખ બનશે. અંગૂઠાથી જ બેંક અને વેપાર તમે કરી શકશો તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું. મોદી કહ્યું કે ટેકનોલોજી મોટી તાકાત છે અને તે ગરીબોને શક્તિશાળી બનાવી શકે છે. વધુમાં મોદી કહ્યું કે આશાવાદી વ્યક્તિને માટે અનેક પર્યાપ્ત અવસર છે પણ નિરાશાવાદી લોકો માટે કોઇ દવા નથી.

વિરોધી પર પ્રહાર
વધુમાં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે પહેલા છાપા ખોલતા તો જાણવા મળ્યું આજે આટલા કરોડ રૂપિયાનું નુક્શાન થયું. આજે લોકો જાણવા માંગે છે આખરે કેટલા રૂપિયા આવી રહ્યા છે. કેટલાનો ફાયદો થયો છે. વધુમાં નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ડિજીધન વેપાર યોજનાનો લકી ડ્રો પણ નીકાળ્યો. તેમણે જણાવ્યું કે જે લોકો આ લકી ડ્રોમાં વિજેતા થયા છે તેમને પોતાના નામ જાણવા માટે digidhan.mygov.inની સહાય લઇ શકે છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવું ભારત બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે આમ કરવાથી દેશની ડિજીટલ પેમેન્ટમાં તેજીથી વધારો થશે. વળી તેમણે જણાવ્યું કે હાલ થોડા સમયમાં ડિજીટલ પેમેન્ટ બે હજાર ટકા સુધી વધ્યું છે. તેમણે કહ્યું કે ડિજીટલ ઇન્ડિયા, ડિજીટલ પેમેન્ટ અને ડિજીધન એક જ કેમ્પેઇનનો ભાગ છે. અને તેનો ઉદ્દેશ વિકસિત ભારતને બનાવવાનો છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
