બંસલ અને અશ્વિનીની ગિલ્લી ઉડી, હવે PM પર નિશાન?

આ દરમિયાન રેલવે મંત્રી અને કાયદા મંત્રીની ખાલી પડેલી જગ્યાઓ માટે હવે અનેક નામો બહાર આવી રહ્યા છે. બંને મંત્રીઓના રાજીનામા સાથે ભાજપ પણ વધારે આક્રમક રીતે આ મુદ્દા અંગે વાત કરી રહ્યું છે. ભાજપે સીધા જ શબ્દોમાં પીએમ મનમોહન સિંહનું રાજીનામુ માંગતા જણાવ્યું કે જ્યારે એ સ્પષ્ટ થઇ ગયું છે કે કાયદા મંત્રીએ વડાપ્રધાનને બચાવવા માટે સીબીઆઇનો રિપોર્ટ બદલાવ્યો હતો, ત્યારે હવે તેમને પદ પર રહેવાનો નૈતિક અધિકાર નથી.
કોંગ્રેસના બંને મંત્રીઓએ શુક્રવારે રાત્રે એક પછી એક રાજીનામા આપી દીધા હતા. આ અંગે માનવામાં આવે છે કે કોંગ્રેસ વર્ષ 2014ની ચૂંટણીઓ આવે એ પહેલા જનતાને પોતે સ્વચ્છ છબીવાળી પાર્ટી હોવાનો સંદેશ આપવા માંગે છે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે હવે સરકારમાં મનમોહન સિંહ કરતા રાહુલ ગાંધીનું વધારે ચાલે છે.
હવે નવા રેલવે મંત્રી માટે કર્ણાટકમાં સીએમ બનવાનું ચૂકી ગયેલા મલિક્કાર્જુન ખડગેનું નામ સૌથી આગલ છે. જ્યારે નવા કાયદા પ્રધાન તરીકે કપિલ સિબ્બલ, મનીષ તિવારી અને વીરપ્પા મોઇલીના નામો સૌથી વધારે ચર્ચામાં છે. હવે જોવાનું એ રહે છે કે રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી કોના ઉપર સૌથી વધારે વિશ્વાસ ધરાવે છે.
આ અંગે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું કે "હવે મનમોહન સિંહનો વડાપ્રધાન પદે ચાલુ રહેવાનો કોઇ અર્થ કે તર્ક નથી. વડાપ્રધાનને બચાવી રહેલા કાયદા પ્રધાનને મંત્રી પદેથી હટાવ્યા બાદ પ્રક્રિયા આગળ વધવી જોઇએ. આગળ હવે વડાપ્રધાને ચોક્કસપણે રાજીનામુ આપી દેવું જોઇએ. રેલવે પ્રધાન અને કાયદા પ્રધાનના રાજીનામા સ્વીકારવાનો નિર્ણય ખૂબ મોડા કરવામાં આવ્યો હતો. અમારી માંગણી નહીં માનીને કોંગ્રેસે સંસદનો સમય બરબાદ કર્યો છે."
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ




Click it and Unblock the Notifications
