બંસલ અને અશ્વિનીની ગિલ્લી ઉડી, હવે PM પર નિશાન?

આ દરમિયાન રેલવે મંત્રી અને કાયદા મંત્રીની ખાલી પડેલી જગ્યાઓ માટે હવે અનેક નામો બહાર આવી રહ્યા છે. બંને મંત્રીઓના રાજીનામા સાથે ભાજપ પણ વધારે આક્રમક રીતે આ મુદ્દા અંગે વાત કરી રહ્યું છે. ભાજપે સીધા જ શબ્દોમાં પીએમ મનમોહન સિંહનું રાજીનામુ માંગતા જણાવ્યું કે જ્યારે એ સ્પષ્ટ થઇ ગયું છે કે કાયદા મંત્રીએ વડાપ્રધાનને બચાવવા માટે સીબીઆઇનો રિપોર્ટ બદલાવ્યો હતો, ત્યારે હવે તેમને પદ પર રહેવાનો નૈતિક અધિકાર નથી.
કોંગ્રેસના બંને મંત્રીઓએ શુક્રવારે રાત્રે એક પછી એક રાજીનામા આપી દીધા હતા. આ અંગે માનવામાં આવે છે કે કોંગ્રેસ વર્ષ 2014ની ચૂંટણીઓ આવે એ પહેલા જનતાને પોતે સ્વચ્છ છબીવાળી પાર્ટી હોવાનો સંદેશ આપવા માંગે છે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે હવે સરકારમાં મનમોહન સિંહ કરતા રાહુલ ગાંધીનું વધારે ચાલે છે.
હવે નવા રેલવે મંત્રી માટે કર્ણાટકમાં સીએમ બનવાનું ચૂકી ગયેલા મલિક્કાર્જુન ખડગેનું નામ સૌથી આગલ છે. જ્યારે નવા કાયદા પ્રધાન તરીકે કપિલ સિબ્બલ, મનીષ તિવારી અને વીરપ્પા મોઇલીના નામો સૌથી વધારે ચર્ચામાં છે. હવે જોવાનું એ રહે છે કે રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધી કોના ઉપર સૌથી વધારે વિશ્વાસ ધરાવે છે.
આ અંગે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું કે "હવે મનમોહન સિંહનો વડાપ્રધાન પદે ચાલુ રહેવાનો કોઇ અર્થ કે તર્ક નથી. વડાપ્રધાનને બચાવી રહેલા કાયદા પ્રધાનને મંત્રી પદેથી હટાવ્યા બાદ પ્રક્રિયા આગળ વધવી જોઇએ. આગળ હવે વડાપ્રધાને ચોક્કસપણે રાજીનામુ આપી દેવું જોઇએ. રેલવે પ્રધાન અને કાયદા પ્રધાનના રાજીનામા સ્વીકારવાનો નિર્ણય ખૂબ મોડા કરવામાં આવ્યો હતો. અમારી માંગણી નહીં માનીને કોંગ્રેસે સંસદનો સમય બરબાદ કર્યો છે."
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
