'જમાઇ' પર આવી મુશ્કેલી તો બચાવમાં આવી સરકાર, ના સોંપ્યા દસ્તાવેજ

પીએમઓએ ગુત્પ માહિતીનો હવાલો આપતા કહ્યું કે વાઢેરાની જમીન ખરીદ સાથે જોડાયેલ વિવાદાસ્પદ સોદામાં તે દસ્તાવેજ કોર્ટમાં રજૂ કરી શકે નહીં કારણ કે તે ગુપ્ત છે. ઉલ્લેખનીય છે કે ઇલાહાબાદ હાઇકોર્ટની લખનઉ ખંડપીઠમાં આ સોદાની તપાસ માટે દાખલ અરજીની નોટિસ પર પોતાના સોગંધનામામાં પીએમઓએ આ વાત કહી.
લખનઉ સ્થિત આરટીઆઇ કાર્યકર્તા નૂતન ઠાકૂરે ગયા વર્ષે અરવિંદ કેજરીવાલ દ્વારા વાઢેરા પર લગાવેલ આરોપોની તપાસ માટે અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે સોનિયા ગાંધીના જમાઇ વાઢેરા દ્વારા જમીન સોદામાં અનિયમિતતા હોવાની વાત કરી છે. કોર્ટે આ અંગે જવાબ માંગ્યો છે.
જેની પર દલીલ આપતા સોલિસીટર જનરલે કહ્યું કે અરજી માત્ર સમાચારોમાં છપાયેલ સમાચારો પર આધારિત છે, જેમાં કોઇ વાસ્તવિકતા નથી, માટે તેને ફગાવી દેવામાં આવે. કેન્દ્ર સરકારે વાઢેરા અને ડીએલએફની વચ્ચે થયેલા જમીન સોદા પર લાગેલા આરોપોને ખોટા અને આધાર વિહોણા ગણાવ્યા છે.












Click it and Unblock the Notifications
