દિલ્હીમાં પ્રદુષણનું લોકડાઉન: 21 નવેમ્બર સુધી બાંધકામના કાર્યો પર રોક, કરાશે સરકારી ઓફીસોનું કાર્ય
સુપ્રીમ કોર્ટે બુધવારે ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના મુદ્દે સુનાવણી કરી. દરમિયાન, વાયુ પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં
સુપ્રીમ કોર્ટે બુધવારે ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના મુદ્દે સુનાવણી કરી. દરમિયાન, વાયુ પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખીને, દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં પર્યાવરણ વિભાગ, જાહેર બાંધકામ વિભાગ, પોલીસ, ટ્રાફિક પોલીસ, MCDના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક પૂરી થયા બાદ ગોપાલ રાયે રાજધાની દિલ્હીમાં 'વાયુ પ્રદૂષણના લોકડાઉન' જેવા કડક નિર્ણયો વિશે જાણકારી આપી. તેમણે કહ્યું કે 21 નવેમ્બર સુધી બાંધકામના કામ પર પ્રતિબંધ રહેશે અને સરકારી વિભાગમાં 100% કામ ઘરેથી થશે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે વધુમાં કહ્યું કે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આજથી 21 નવેમ્બર સુધી બાંધકામ અને ડિમોલિશનના કામ પર પ્રતિબંધ, સરકારી વિભાગો માટે 100% કામ ઘરેથી કરવા સહિત આગામી આદેશો સુધી શાળાઓ, કોલેજો, સંસ્થાઓ, તાલીમ કેન્દ્રો અને પુસ્તકાલયોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય દિલ્હીમાં ઈમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા વાહનો સિવાય તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. પોલીસ વિભાગ અને વાહનવ્યવહાર મળીને સુનિશ્ચિત કરશે કે સૂચનાઓનું પાલન કરવામાં આવે.
Construction & demolition work will remain banned till 21st Nov in Delhi. There will be 100% work from home for Govt depts till 21st Nov. Schools/colleges/institutes/training centres/libraries will remain closed until further orders: Delhi Environment Minister Gopal Rai pic.twitter.com/SYqcUu9nhy
— ANI (@ANI) November 17, 2021
ગોપાલ રાયે વધુમાં જણાવ્યું હતું કે, સાર્વજનિક પરિવહન વધારવા માટે આવતીકાલથી 1000 ખાનગી CNG બસો ખરીદવાની પ્રક્રિયા શરૂ થશે. મેટ્રો અને ડીટીસી તરફથી ડીડીએમએને પેસેન્જરોને ઉભા રહીને મુસાફરી કરવા દેવા અંગે પત્ર લખવામાં આવ્યો છે. દિલ્હીની અંદર 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોની યાદી ટ્રાફિક વિભાગ દ્વારા પોલીસને આપવામાં આવી છે, જેના પર તેઓ કાર્યવાહી કરશે. પેટ્રોલ પંપ પર ચાલી રહેલા પીયુસી અભિયાનને વધુ કડક બનાવવામાં આવશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
