Pondicherry Exit Poll Result 2021: શું પોંડિચેરીમાં ફરી વાપસી કરી શકશે કોંગ્રેસ કે ભાજપની સરકાર બનશે?
Ponducherry Exit Poll Result 2021: શું પોંડિચેરીમાં ફરી વાપસી કરી શકશે કોંગ્રેસ કે ભાજપની સરકાર બનશે?
ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ ગયા બાદ સૌકોઈને પરિણામનો ઈંતેજાર છે, જે 2 મેના રોજ ઘોષિત કરાશે, પરંતુ પરિણામ પહેલાં સૌકોઈની નજર એક્ઝિટ પોલ પર ટકી છે, જે આજે ઘોષિત થઈ રહ્યા છે. આમ તો પરિણામના હિસાબે પશ્ચિમ બંગાળ રાજ્ય સૌથી મહત્વપૂર્ણ છે, પરંતુ અન્ય રાજ્યોને લઈને પણ રાજનૈતિક દળ બહુ આતુરતાથી ઈંતેજાર કરી રહ્યા છે.

- Republic CNXના સર્વે મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરીમાં એનડીએની સરકાર બનતી જણાઈ રહી છે. 30 વિધાનશભા સીટમાંથી એનડીએને 16-20 સીટ મળી રહી છે. જ્યારે યૂપીએને 11-13 સીટ મળી રહી છે અને અન્યોના ખાતામાં એકેય સીટ નથી જઈ રહી.
- એબીપી સી વોટરના સર્વે મુજબ પણ તસવીરો કંઈક આવી જ છે. આ સર્વે અંતર્ગત પણ પોંડિચેરીમાં ભાજપ ગઠબંધનની જ સરકાર બનતી જણાઈ રહી છે. આંકડાઓ મુજબ ભાજપ ગઠબંધન 19માંથી 23 સીટ મેળવી શકે છે, જ્યારે કોંગ્રેસ ગઠબંધનને માત્ર 6-10 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે અન્યોના ખાતામાં 2 સીટ જતી જણાઈ રહી છે.
ચૂંટણી પહેલાં પોંડિચેરીમાં સરકાર પડી ભાંગી હતી
જો પોંડિચેરીની વાત કરીએ તો અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આકરી ટક્કર છે. પોંડિચેરીમાં 30 વિધાનસભા સીટ માટે વોટિંગ થયું હતું. 2016માં થયેલ ચૂંટણીમાં અહીં કોંગ્રેસના નેતૃત્વમાં યૂપીએની સરકાર બની હતી. જેમાં કોંગ્રેસને એકલીને જ 15 સીટ મળી હતી, પરંતુ 2012ની ચૂંટણીના થોડા દિવસો પહેલા અહીં કોંગ્રેસની સરકાર પડી ભાંગી હતી. હવે કોંગ્રેસ સામે ફરીથી સરકાર બનાવવાનો પડકાર આ રાજ્યમાં છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
