મોદી સામે પોસ્ટર વોર, કેમ કરે જનતા મોદી પર વિશ્વાસ?
નવી દિલ્હી, 23 જૂન: ભાજપા નેતા સંજય જોશી હવે પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરવામાં લાગી ગયા છે. પોસ્ટરથી હુમલો કરવા માટે જાણીતા સંજય જોશીએ એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ સરકાર પર હુમલો કર્યો છે અને તીખા સવાલો કર્યા છે.
દિલ્હીમાં એકવાર ફરીથી ભાજપ નેતા સંજય જોશીના સમર્થકોએ પોસ્ટર લગાવીને વિવાદ પેદા કરી દીધો છે. પોસ્ટર દ્વારા નરેન્દ્ર મોદી પર હુમલો કરતા સંજય જોશીએ પાકિસ્તાનને રમજાનની શુભેચ્છા પાઠવવાને લઇને તેમને આડે હાથે લીધા છે.
પોસ્ટર પર મોટા મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશને આપો છો રમઝાનની શુભેચ્છા અને સુષમા, અડવાણી, સંજય જોશી, રાજનાથ, ગડકરી, મુરલી મનોહર જોશી, વસુંધરા માટે મનમાં છે કટાશ? પોસ્ટરમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીની તસવીર છે. જ્યારે બીજી તરફ સંજય જોશીની પોસ્ટર પણ છે.
મોદી સામે પોસ્ટર વોર
દિલ્હીમાં આડવાણી અને સુષમાના ઘરની સામે લાગ્યા પોસ્ટર. મોદીને કરાયા સવાલો.
સંજય જોશી હવે પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે
ભાજપા નેતા સંજય જોશી હવે પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરવામાં લાગી ગયા છે. પોસ્ટરથી હુમલો કરવા માટે જાણીતા સંજય જોશીએ એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએ સરકાર પર હુમલો કર્યો છે અને તીખા સવાલો કર્યા છે.
મોદીને કરાયા સવાલો
પોસ્ટર પર મોટા મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશને આપો છો રમઝાનની શુભેચ્છા અને સુષમા, અડવાણી, સંજય જોશી, રાજનાથ, ગડકરી, મુરલી મનોહર જોશી, વસુંધરા માટે મનમાં છે ખટાશ?
|
ના સંવાદ, ના મન કી બાત
ના સંવાદ, ના મન કી બાત, ના સબકા સાથ, ના સબકા વિકાસ, ફીર ક્યું કરે જનતા આપકા વિશ્વાસ... એવું લખ્યું છે. પોસ્ટરમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીની તસવીર છે. જ્યારે બીજી તરફ સંજય જોશીની પોસ્ટર પણ છે.
પહેલાનું પોસ્ટર
આ પહેલા પણ દિલ્હીની સડકો પર આવા મોદી વિરુદ્ધી સંજય જોશીના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા હતા.