જાસૂસી કાંડ મૂદ્દે મોદી મારી સાથે ચર્ચા કરે: પ્રદીપ શર્મા
નવી દિલ્હી, 25 નવેમ્બર: ગુજરાતના સસ્પેન્ડેડ આઇએએસ ઓફિસર પ્રદીપ શર્માએ સુપ્રીમ કોર્ટમાં આપેલી અરજીમાં દાવો કર્યો છે કે રાજ્ય સરકારે એટલા માટે મહિલા આર્કિટેક્ટની ખોટી રીતે જાસૂસી કરાવી, કારણ કે પોતે નરેન્દ્ર મોદી તેના પર આકર્ષિત હતા.
આઇએએસ ઓફિસર પ્રદીપ શર્માએ મામાની સીબીઆઇ તપાસની માગ કરતા આરોપ લગાવ્યો છે કે મોદી અને તેમના ખાસ અમિત શાહે મહિલાના ગોપનીય અધિકાર અને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટનો અનાદર કર્યો છે. પ્રદીપ શર્માએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે તેમને સસ્પેન્ડ કરીને 2010થી 2012ની વચ્ચે 12થી વધારે મામલામાં એટલા માટે ફસાવ્યા કારણ કે મોદીને શંકા હતી કે તેઓ તે મહિલાની સેક્સ સીડી અંગે જાણકારી ધરાવે છે, જેમાં તેઓ આપત્તિજનક સ્થિતિમાં દેખાઇ રહી છે.

ગુજરાતના સસ્પેન્ડેડ આઇએએસ ઓફિસર પ્રદીપ શર્માનું કહેવું છે કે માત્ર શંકાના કારણે મોદી સરકારે તેમને નિશાનો બનાવ્યો. મહિલા આર્કિટેક્ટ સાથે પોતાના અને મોદીના સંબંધોની સાથે સાથે તેમણે આ આખા વિવાદીત જાસૂસી કાંડ પર મીડિયા સાથે વાતચીત કરી. શર્માએ આ વિષય પર નરેન્દ્ર મોદીને તેમની સાથે ચર્ચા કરવાનો પડકાર પણ ફેંક્યો હતો.












Click it and Unblock the Notifications
