ગુજરાતી લેખક ડૉ. રધુવીર ચૌધરીને મળ્યો 51મો જ્ઞાનપીઠ એવોર્ડ
ગુજરાતના જાણીતા લેખક, નવલકથાકાર અને કવિ તેવા ડૉ. રધુવીર ચૌધરીને સોમવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે 51માં જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ડૉ. રધુવીર ચૌધરીના વખાણ કરતા કહ્યું કે ડૉ. રધુવીર ચૌધરી વિખ્યાત વિદ્વાન હોવાની સાથે એક પ્રખર ગાંધીવાદી છે, જેમણે તેમના સાહિત્ય દ્વારા ભારતીય સાહિત્યને સમુદ્ધ કર્યું છે.
#PresidentMukherjee conferred the 51st Jnanpith Award on renowned writer, Dr. Raghuveer Chaudhari today pic.twitter.com/RYC7Kx8F3A
— President of India (@RashtrapatiBhvn) July 11, 2016
નોંધનીય છે કે આ પહેલા 2001 રાજેન્દ્ર શાહને 1985માં પન્નાલાલ પટેલ જેવા ગુજરાતી સાહિત્યકારોને આ પ્રસિદ્ધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. રધુવીર ચૌધરી ચોથા તેવા ગુજરાતી સાહિત્યકાર છે જેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ડૉ. રધુવીર ચૌધરીને આ એવોર્ડ તેમની જાણીતી નવલકથા "અમૃતા" માટે આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગુજરાતી સિવાય ડૉ. રધુવીર ચૌધરીએ હિન્દીમાં પણ અનેક કવિતાઓ અને સાહિત્ય લખ્યા છે. અને "બહાર કોઇ છે", "રૂદ્રમહાલય" અને "પૂર્વરાગ" જેવા તેમના અન્ય સાહિત્યો પણ લોકપ્રિય થયા છે. વળી વચનામૃત નામનું તેમનું ધર્મચિંતન લોકોમાં પ્રિય છે.