JDUમાં જોડાયા પ્રશાંત કિશોર, જાણો તેમના વિશે વિસ્તારથી
રણનીતિકાર પ્રશાંત કિશોર આજે જેડીયૂમાં સામેલ થઈ ગયા
પટનાઃ પોલિટિકલ એનાલિટિક્સના નિષ્ણાંત પ્રશાંત કિશોરે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેઓ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોઈની પણ સાથે કામ નહી કરે. જો કે રણનીતિકાર પ્રશાંત કિશોર આજે જેડીયૂમાં સામેલ થઈ ગયા છે, રવિવારે જેડીયૂ કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારે પીકેને પાર્ટીની સભ્યતા અપાવી છે.

બિહાર સાથે છે અનેરો સંબંધ
પીકેના નામથી પ્રખ્યાત પ્રશાંત કિશોરનો જન્મ વર્ષ 1977માં બિહારના સાસારામમાં થયો હતો માટે પ્રશાંત કિશોરનો બિહાર સાથે વિશેષ લગાવ છે. પીકેના માતા યૂપીના બલિયાના રહેવાસી છે પરંતુ તેમના પિતાજી બિહારમાં સરકારી ડૉક્ટર હતા. એમની પત્નીનું નામ જાહ્નવી દાસ છે જેઓ આસામના ગુવાહાટીમાં ડૉક્ટર છે, તેમને એક દીકરો અને એક દીકરી છે જેમનું નામ કિશોર અને જાહ્નવી છે.
|
સિટિજન ફૉર અકાઉન્ટેબલ ગવર્નન્સની સ્થાપના
હંમેશા પડદાની પાછળ રહીને ચૂંટણી લક્ષી રણનીતિને અંજામ આપનાર પ્રશાંત કિશોર એ સમયે ચર્ચામાં આવ્યા જ્યારે લોકસભામાં ભાજપનો જંગી મતોથી વિજય થયો. તેમણે 2014માં સિટિજન ફોર અકાઉન્ટેબલ ગવર્નન્સની સ્થાપના કરી હતી. જેને ભારતની પહેલી રાજનૈતિક એક્શન કમિટિ માનવામાં આવે છે. આ એક એનજીઓ છે જેમાં આઈઆઈટી અને આઈઆઈએમમાં ભણતા યુવા પ્રોફેશનલ્સ સામેલ હતા.
|
ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટિ
પ્રશાંત કિશોર ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટિના નામથી સંગઠન ચલાવે છે. જે કેમ્પેન અને ભાષણોનું બ્રાન્ડિંગ કરે છે. ભાજપ સાથે અણબન થતાં પ્રશાંત કિશોરે વર્ષ 2015માંબિહાર વિધાનસભા ચૂંટણી માટે નીતિશ કુમાર- લાલુ પ્રસાદ યાદવના મહાગઠબંધન માટે કામ કર્યું અને જંગી મતોથી બિહારમાં મહાગઠબંધનની જીત થઈ. જો કે યુપી અને આંધ્ર પ્રદેશમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. આ પણ વાંચો-કેમ ચીનમાં મુસ્લિમ ઘરોની બહાર લગાડવામાં આવી રહ્યા છે ક્યુઆર કોડ
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
