મહારાષ્ટ્ર સરકારનો આદેશ, 26 જાન્યુઆરીથી શાળામાં બંધારણની પ્રસ્તાવના વાંચવી અનિવાર્ય
મહારાષ્ટ્રમાં 26 જાન્યુઆરીથી બધા શાળાઓમાં રોજ સવારે બંધારણની પ્રસ્તાવનાનો પાઠ અનિવાર્ય રીતે કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં 26 જાન્યુઆરીથી બધા શાળાઓમાં રોજ સવારે બંધારણની પ્રસ્તાવનાનો પાઠ અનિવાર્ય રીતે કરવામાં આવશે. આ અંગેની માહિતી કોંગ્રેસ નેતા અને રાજ્યમંત્રી વર્ષા ગાયકવાડે મંગળવારે આપી છે. રાજ્ય સરકારના એક પરિપત્રમાં કહેવામાં આવ્યુ છે કે પ્રસ્તાવનાનો પાઠ બંધારણી સંપ્રભુતા, સહુના કલ્યાણ અભિયાનનો હિસ્સો છે. ગાયકવાડે પત્રકારોને વાતચીતમાં કહ્યુ, છાત્ર બંધારણની પ્રસ્તાવના પાઠ કરશે જેથી તે આનુ મહત્વ જાણી શકે.
આ સરકારનો ઘણો જૂનો પ્રસ્તાવ છે પરંતુ આપણે તેને 26 જાન્યુઆરી લાગુ કરશે. આ બાબતે સરકારે 2013ના ફેબ્રુઆરી મહિનામાં પરિપત્ર જારી કરવામાં આવ્યુ હતુ. એ વખતે રાજ્યમાં કોંગ્રેસ-રાકાંપાની સરકાર હતી. મંત્રીએ કહ્યુ કે છાત્ર રોજ સવારે પ્રાર્થના બાદ પ્રસ્તાવનાનો પાઠ કરશે. બંધારણની પ્રસ્તાવના ઉપરાંત રાજ્યની બધી સ્કૂલોમાં મરાઠી ભાષાનો અભ્યાસ કરવાનુ પણ અનિવાર્ય હશે. રાજ્યના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈએ કહ્યુ કે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં એક બિલ લઈને આવશે.
જે હેઠળ બધી સ્કૂલોમાં મરાઠી ભાષા ભણવી પણ અનિવાર્ય હશે. ભલે તે કોઈ પણ માધ્યમ હોય. દેસાઈએ કહ્યુ કે આ અંગે બિલમાં ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે આ વાત મુંબઈ મરાઠી પત્રકાર સંઘના એક સંવાદ કાર્યક્રમમાં કહી. તમને જણાવી દઈએ કે વિધાનસભાનુ આગામી સત્ર ફેબ્રુઆરીમાં હશે. દેસાઈએ કહ્યુ કે, 'સરકાર વિધાનસભા સત્રમાં એક કાયદો બનાવશે જેમાં બધા શાળાઓમાં પહેલાથી દસમાં ધોરણ સુધી મરાઠી ભાષાનો અભ્યાસ અનિવાર્ય હશે. પછી ભલે તે કોઈ પણ માધ્યમમાં અભ્યાસ કરતા હોય.'
આ પણ વાંચોઃ 9 વર્ષના બાળકનો નિબંધ વાંચીને ભાવુક થયા ટીચર્સ, મંત્રીએ કર્યુ આ એલાન