વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોંચ કરી શ્રમેવ જયતે
નવી દિલ્હી, 16 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ઉદ્યોગને પ્રોત્સાહન આપનાર મહત્વાકાંક્ષી શ્રમેવ જયતેની શરૂઆત કરી. આ અવસર પર નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેટલી તાકાત સત્યમેવ જયતેની છે એટલી જ તાકાત દેશના વિકાસ માટે શ્રમની તાકાત છે.
આ પોર્ટલ વડાપ્રધાને શ્રમ મંત્રાલય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે કાર્યક્રમ હેઠળ કરવામાં આવી. આ અવસર પર શ્રમિકો માટે પુનર્ગઠિત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજના હેઠળ એક ઓનલાઇન પોર્ટલ લોંચ કરવામાં આવ્યું જેના માધ્યમથી દેશભરના અસંગઠિત કર્મચારીઓના પીએફ એકાઉન્ટ એકીકૃત થશે. આ ઉપરાંત કંપનીઓમાં શ્રમ નિરીક્ષણ માટે એકીકૃત પોર્ટલને લોંચ કરવામાં આવ્યું.
આ યોજના હેઠળ 6.50 લાખ પ્રતિષ્ઠાનો તથા 1,800 નિરીક્ષણ અધિકારીઓને યૂનિફાઇડ લેબર પોર્ટલ વિશે એસએમએસ મોકલવામાં આવશે. શ્રમિકોને નિરીક્ષકોને નિરીક્ષણ પુરું કરવાના 72 કલાકમાં પોતાનો રિપોર્ટ પોર્ટલ પર નાખવો પડશે.












Click it and Unblock the Notifications
