"ભારતનો અતીત, ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય આદિવાસી સમાજ વિના અધુરો છે", માનગઢમાં બોલ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિહ ચૌહાણ, અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માનગગઢ ખાતે સાર્વજનિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિહ ચૌહાણ, અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માનગગઢ ખાતે સાર્વજનિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. માનગઢ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા માનગઢ ધામના દર્શન કર્ય હતા.

કાર્યક્રમને સંબોધિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દુર્ભાગ્યથી આદિવાસી સમાજના આ બલિદાનને ઇતિહાસમાં જગ્યા મળવી જોઇએ તે ના મળી આજે દેશ તેને પુરુ કરી રહી છે. ભારતનો અતિત, ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય આદિવાસી સમાજ વગર પુરા નથી કરી શકાતો આપણા સ્વતંત્રતા સંગ્રામનો દરેક કદમ ઇતિહાસ આદિવાસી વીરતાથી ભરેલો છે.
માનગઢની ગૌરવગાથા કર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, 17 નવેમ્બર 1913 માનગઢમાં જે નરસંહાર થયો તે અંગ્રેજી હુકુમતની ક્રુરતાની પરાકાષ્ઠા હતી. દુનિયાને ગુલામ બનાવવાની માનસિક્તામાં માનગઢના આ પહાડી પર અંગ્રેજ હૂકુમતે 1500 થી વધારે લોકોને ઘેરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
સીએમ અશોક ગહેલોતને લઇને પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે, અશોક ગહેલોત અનેમે મુખઅયમંત્રી તરીકે સાથે કામ કર્યુ છે. તે અમારા બધા મુખ્યમંત્રીઓમાં સૌથી વરિષ્ઠ છે. આજે પણ મંચ્ પર બૈઠેલા તમામ મુખ્યમંત્રીઓમાં અશકો ગહેલોત વરિષ્ઠ મુખ્યમંત્રી છે.












Click it and Unblock the Notifications
