કેન્દ્રીય મંત્રીની પોલ ખોલી પીટીઆઇએ
નોંધનીય છે કે રવિવારે આ વિવાદ ત્યારે ઊભો થયો કે જ્યારે નારાયણ સામીએ પીટીઆઈના પેલા રિપોર્ટને ફગાવી દીધું કે જેમાં એજંસીએ તેમના તરફથી જણાવ્યુ હતું કે સીએજીને એકથી વધુ સભ્ય વાળુ બનાવી શકાય છે. આ ખબર આવતાં જ રાજકીય ક્ષેત્રે વિવાદ શરૂ થઈ ગયો. સીએજીની તાજેતરની કેટલીક રિપોર્ટોથી સરકારની સાખ ઉપર સવાલ ઊભો થયો છે. 2જી ઘોટાલાના પગલે તો યુપીએ સરકારના મંત્રીએ જેલ પણ જવુ પડ્યું હતું.
સીએજીના આ કથિત સખત વલણે સરકારની જાન આફતમાં નાંખી છે. એવામાં એ વાત સ્વાભાવિક ગણાઈ કે સરકાર સીએજીને સાધવાની કોશિશ કરી શકે છે. પરંતુ એકથી વધુ સભ્ય બનાવવાથી આ સંસ્થા બેકાર થઈ જવાનો ભય હતો અને તેથી સામીના આ નિવેદનના સમાચાર આવતાં જ સરકાર ઉપર ચારે બાજુથી દબાણ આવવું શરૂ થઈ ગયું. એટલે જ થોડી વાર પછી જ સામીએ આ સમાચારનું ખંડન કર્યું. તેણે નિવેદન જારી કરી જણાવ્યું, મેં ક્યારેય કોઈને આ વાત નથી કરી કે સરકાર સીએજીને એકથી વધુ સભ્ય વાળું બનાવવા અંગે વિચાર કરી શકે છે. મારા નિવેદનને ખોટી રીતે રજુ કરાયું.