પુલવામા: IED ભરેલી આતંકીઓની કાર ઝડપી, IGએ જણાવ્યું કેવી રીતે હુમલો કર્યો નાકામ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં વિસ્ફોટકોથી ભરેલી કારના કેસમાં પોલીસે કહ્યું છે કે તેમને એક સપ્તાહ પહેલા આવી માહિતી મળી હતી. કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું છે કે તેનો હેતુ સુરક્ષા દળોના વાહનને ન
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં વિસ્ફોટકોથી ભરેલી કારના કેસમાં પોલીસે કહ્યું છે કે તેમને એક સપ્તાહ પહેલા આવી માહિતી મળી હતી. કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું છે કે તેનો હેતુ સુરક્ષા દળોના વાહનને નિશાન બનાવવાનો હતો. કારમાંથી આશરે 40 થી 45 કિલો વિસ્ફોટક મળી આવ્યા છે. વાહનમાં વિસ્ફોટકો લાવનારા આતંકીઓ હિઝબુલ અને જૈશ સાથે સંકળાયેલા હોવાનો દાવો પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

આઈજી વિજય કુમારે જણાવ્યું હતું કે, પુલવામા પોલીસને છેલ્લા એક અઠવાડિયાથી સમાચાર મળ્યા હતા કે જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન આત્મઘાતી હુમલો કરવાના છે. આ માટે તેણે સેન્ટ્રો કાર લીધી છે, આઈડી ભરીને તે ગમે ત્યારે હુમલો કરી શકે છે. જે બાદ પોલીસ અને સીઆરપીએફએ સંયુક્ત રીતે નાકાને અવરોધિત કર્યા હતા, જે વાહન બ્લોક પર આવ્યાની જાણ કરવામાં આવી હતી, તેને ચેતવણી આપી હતી. અંધકારનો લાભ લઈ આતંકી ફરાર થઈને નાસી ગયો હતો. આગલા બ્લોકમાં ફરીથી ગાડી રોકવામાં આવી હતી પરંતુ આતંકી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જે બાદ વાહન કબજે કરાયું હતું.
સુરક્ષા દળોએ રાજપુરા રોડ પર શાદીપુરા નજીક વ્હાઇટ સેન્ટ્રો કારમાંથી આઈઈડી (ઇમ્પ્રુઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) મળી આવ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે કારને ઉડાવી દીધી હતી. પુલવામા પોલીસ બાદ સીઆરપીએફ અને આર્મીએ પણ આ કામગીરીમાં ભાગ લીધો હતો અને હુમલો નિષ્ફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો: પુલવામાઃ આતંકવદીઓના નાપાક ઈરાદા નિષ્ફળ, કારમાંથી 20 કિલો IED મળ્યો
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
