ઝેરી દારૂ પીવાથી પંજાબમાં 21 લોકોના મોત, તપાસ માટે SITની રચના
કોરોના કાળમાં પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારનમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે.
કોરોના કાળમાં પંજાબના અમૃતસર, બટાલા અને તરનતારનમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં પંજાબ પોલિસે નકલી દારૂ બનાવનાર અમુક લોકોની ધરપકડ કરી છે. વળી, તરસિક્કના પોલિસ સ્ટેશનના એસએચઓ પર કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કેસની ગંભીરતાને સમજીને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે એસઆઈટી રચીને મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપી દીધા છે.
અત્યાર સુધી મળેલી માહિત મુજબ આ મોતની તપાસ માટે ચાર સભ્યોની SITની રચવામાં આવી છે જે બધા મામલે તપાસ કરશે. વળી, મેજેસ્ટ્રિયલ તપાસની જવાબદારી સીએમ કેપ્ટન અમરિંદર સિંહે જલંધરના ડિવિઝનલ કમિશ્નરને સોંપી છે. સીએમ અમરિંદરે ડિવિઝનલ કમિશ્નરને એ છૂટ આપી છે કે તે આ કેસની તપાસ માટે કોઈ પણ પોલિસ અધિકારી કે વિશેષજ્ઞની સલાહ લઈ શકે છે. સીએમે કહ્યુ કે તપાસમાં દોષી જણાયેલ લોકો સામે પ્રશાસન કડક કાર્યવાહી કરશે.
પંજાબમાં અમૃતસર જિલ્લાના મુચ્છલ ગામમાં ઝેરી દારૂ પીવાથી 24 કલાકની અંદર 6 લોકોના મોતથી હોબાલો મચી ગયો છે. વળી, 2 કિલોમીટરના અંતરે સ્થિત તંગ્રા ગામમાં 1 વ્યક્તિનુ મોત થયુ છે. અમૃતસર એસએસપી વિક્રમજીત દુગ્ગલે મોતની પુષ્ટિ કરીને આ માહિતી આપી. આ કેસમાં ગુરુવારે મોડી સાંજે આઈપીસીની કલમ 304 હેઠળ કેસ નોંધીને એક મહિલા બલવિંદર કોરે ગામમાં ગેરકાયદે દારૂ વેચવાની શંકામાં ધરપકડ કરી છે. શિરોમણિ અકાલી દળના સ્થાનિક નેતા બલબીર સિંહે જણાવ્યુ કે ગામમાં બધા જાણે છે કે બલવિંદર કૌર ગેરકાયદે દારૂ વેચવાનો વેપાર ચલાવે છે પરંતુ આ આશ્ચર્યજનક વાત છે કે પોલિસ અને સરકારને આ અંગેની માહિતી કેવી રીતે ન મળી.
Punjab Chief Minister Captain Amarinder Singh orders a magisterial inquiry by Divisional Commissioner Jalandhar into the suspicious deaths of 21 people, allegedly due to consumption of spurious liquor, in Amritsar, Batala and Tarn Taran: Punjab Chief Minister's Office (file pic) pic.twitter.com/jTY3EuYcI3
— ANI (@ANI) July 31, 2020
સુશાંતના પરિવારે રિયા પર લગાવ્યા ગંભીર આરોપ, CAએ મોટી રકમ વિશે કર્યા આ ખુલાસા