પંજાબ: ગૂડ ન્યુઝ! 5994 જગ્યાઓ પર શિક્ષકોની કરાશે ભરતી, શિક્ષણ મંત્રી હરજોત બેન્સે કરી જાહેરાત
પંજાબના લોકો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોના ETT કેડરની 5994 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે. પંજાબ સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં શિક્ષકોની જગ્યાઓ દૂર કરવામાં આ
પંજાબના લોકો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોના ETT કેડરની 5994 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી છે. પંજાબ સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં શિક્ષકોની જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. આ જગ્યાઓ માટે E.T.T. TET પાસ ઉમેદવારો www.educationrecruitmentboard.com પર 14 ઓક્ટોબરથી 10 નવેમ્બર 2022 સુધી સાંજે 5 વાગ્યે ઓનલાઈન અરજી કરી શકે છે.
આ અંગે માહિતી આપતાં શિક્ષણ મંત્રી હરજોત બૈન્સે જણાવ્યું છે કે આ જગ્યાઓ માટે 200 માર્ક્સની ઑબ્જેક્ટિવ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે, જેમાં જનરલ કેટેગરીમાં અરજી કરવાની વય મર્યાદા 18 થી 37 વર્ષ રાખવામાં આવી છે અને બાકીના અનામત અને અન્ય કેટેગરીઓને નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે આ જગ્યાઓ માટે સામાન્ય વર્ગ માટે બારમા ધોરણમાં ઓછામાં ઓછા 50 ટકા અને અનામત વર્ગ માટે 45 ટકા ગુણ હોવા ફરજિયાત છે, જ્યારે ફી જનરલ કેટેગરી માટે રૂ. 1000 અને રિઝર્વ કેટેગરી માટે રૂ. 500 રાખવામાં આવ્યા છે. આ જગ્યાઓ માટે બે વર્ષના ETT કોર્સ સાથે શિક્ષક પાત્રતા કસોટી-1 પાસ કરવી ફરજિયાત છે.