પંજાબના CM ભગવંત માને લીધી પઠાનકોટની મુલાકાત, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વર્તમાન દિવસોમાં તેઓ ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીની રેલીઓમાં વ્યસ્ત છે. આ વચ્ચે આજે પઠાનકોટ આવ્યા હતા, પરંતુ અહિંયા ભગવંત માન ચૂંટણીના મુડમાં જોવા મળ્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વર્તમાન દિવસોમાં તેઓ ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીની રેલીઓમાં વ્યસ્ત છે. આ વચ્ચે આજે પઠાનકોટ આવ્યા હતા, પરંતુ અહિંયા ભગવંત માન ચૂંટણીના મુડમાં જોવા મળ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હિમાચલ અને ગુજરાતના બહાને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

ભગવંત માને જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવાનો અર્થ એ નથી કે તમે દૂધાના ધોયેલા છો. લોકોના હક માટે જે પૈસા ઉઠાવ્યા છે, તે તમામ રકમ ધ્યાનમાં લેવામાં આવશે. કાનવન દાના મંડીની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા ભગવંત માને પૂર્વ મંત્રી શામ સુંદર અરોરા પર કટાક્ષ કર્યો હતો.
પૂર્વ મંત્રી શામ સુંદર અરોરા પર કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હાલ ભાજપમાં ગયા છે, પરંતુ સરકાર તેમની પાસેથી દરેક પૈસાનો હિસાબ લેવાનું ચાલુ રાખશે. અરોરાના ઘરેથી એટલા પૈસા મળ્યા છે કે, તેને ગણવા માટે મશીન લેવું પડ્યું હતું.
મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, માન સરકાર ભ્રષ્ટાચારને બિલકુલ સાંખી લેશે નહીં. કોઈને પણ આ કરવા દેવામાં આવશે નહીં. ભૂતકાળમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા દ્વારા મુખ્યમંત્રી પર સરકારી ભંડોળના ઉપયોગ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેઓ પણ હિમાચલ પ્રદેશ ગયા છે. તે પોતાના વિશે કેમ નથી કહેતા?
ભગવંત માને જણાવ્યું હતું કે, આ બધું સાબિત કરે છે કે, કોંગ્રેસના નેતાઓ સંપૂર્ણપણે ચોંકી ગયા છે. તે પોતાના ધારાસભ્યોને સંભાળવામાં અસમર્થ છે. ગોવામાં તેમના ધારાસભ્યો વેચાયા હતા. મધ્યપ્રદેશમાં સરકાર ગઈ છે અને તે અન્ય પક્ષોની કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે. તેમણે પોતાની જાત પર એક નજર નાખવી જોઈએ અને પછી બીજાઓ પર કાદવ ઉછાળવો જોઈએ.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, દેશમાં આમ આદમી પાર્ટીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં ભાજપની લડાઈ સીધી AAP સાથે છે. ગુજરાતની જનતા AAPની તરફેણમાં જનાદેશ આપીને સાબિત કરશે કે, AAP રાષ્ટ્રીય પાર્ટી બની છે. હિમાચલ પ્રદેશમાં પણ પાર્ટી વધુ સારું પ્રદર્શન કરશે. આ સાથે માનને આશા છે કે, તે બંને રાજ્યોમાં આપ જીતના વિજયપતાકા લહેરાવશે. આ દરમિયાન તેમની સાથે કેબિનેટ મંત્રી લાલચંદ કટારુચક, AAP નેતા વિભૂતિ શર્મા અને અમિત સિંહ મન્ટુ પણ હાજર હતા.
-
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે












Click it and Unblock the Notifications
