પંજાબના CM ભગવંત માને લીધી પઠાનકોટની મુલાકાત, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વર્તમાન દિવસોમાં તેઓ ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીની રેલીઓમાં વ્યસ્ત છે. આ વચ્ચે આજે પઠાનકોટ આવ્યા હતા, પરંતુ અહિંયા ભગવંત માન ચૂંટણીના મુડમાં જોવા મળ્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વર્તમાન દિવસોમાં તેઓ ગુજરાત અને હિમાચલમાં ચૂંટણીની રેલીઓમાં વ્યસ્ત છે. આ વચ્ચે આજે પઠાનકોટ આવ્યા હતા, પરંતુ અહિંયા ભગવંત માન ચૂંટણીના મુડમાં જોવા મળ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હિમાચલ અને ગુજરાતના બહાને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

ભગવંત માને જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવાનો અર્થ એ નથી કે તમે દૂધાના ધોયેલા છો. લોકોના હક માટે જે પૈસા ઉઠાવ્યા છે, તે તમામ રકમ ધ્યાનમાં લેવામાં આવશે. કાનવન દાના મંડીની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરતા ભગવંત માને પૂર્વ મંત્રી શામ સુંદર અરોરા પર કટાક્ષ કર્યો હતો.
પૂર્વ મંત્રી શામ સુંદર અરોરા પર કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હાલ ભાજપમાં ગયા છે, પરંતુ સરકાર તેમની પાસેથી દરેક પૈસાનો હિસાબ લેવાનું ચાલુ રાખશે. અરોરાના ઘરેથી એટલા પૈસા મળ્યા છે કે, તેને ગણવા માટે મશીન લેવું પડ્યું હતું.
મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, માન સરકાર ભ્રષ્ટાચારને બિલકુલ સાંખી લેશે નહીં. કોઈને પણ આ કરવા દેવામાં આવશે નહીં. ભૂતકાળમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા દ્વારા મુખ્યમંત્રી પર સરકારી ભંડોળના ઉપયોગ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેઓ પણ હિમાચલ પ્રદેશ ગયા છે. તે પોતાના વિશે કેમ નથી કહેતા?
ભગવંત માને જણાવ્યું હતું કે, આ બધું સાબિત કરે છે કે, કોંગ્રેસના નેતાઓ સંપૂર્ણપણે ચોંકી ગયા છે. તે પોતાના ધારાસભ્યોને સંભાળવામાં અસમર્થ છે. ગોવામાં તેમના ધારાસભ્યો વેચાયા હતા. મધ્યપ્રદેશમાં સરકાર ગઈ છે અને તે અન્ય પક્ષોની કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે. તેમણે પોતાની જાત પર એક નજર નાખવી જોઈએ અને પછી બીજાઓ પર કાદવ ઉછાળવો જોઈએ.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, દેશમાં આમ આદમી પાર્ટીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાતમાં ભાજપની લડાઈ સીધી AAP સાથે છે. ગુજરાતની જનતા AAPની તરફેણમાં જનાદેશ આપીને સાબિત કરશે કે, AAP રાષ્ટ્રીય પાર્ટી બની છે. હિમાચલ પ્રદેશમાં પણ પાર્ટી વધુ સારું પ્રદર્શન કરશે. આ સાથે માનને આશા છે કે, તે બંને રાજ્યોમાં આપ જીતના વિજયપતાકા લહેરાવશે. આ દરમિયાન તેમની સાથે કેબિનેટ મંત્રી લાલચંદ કટારુચક, AAP નેતા વિભૂતિ શર્મા અને અમિત સિંહ મન્ટુ પણ હાજર હતા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
