CM ભગવંત માને કહ્યુ - પંજાબમાં પણ ગેરકાયદે દબાણોને હટાવવા માટે ચાલશે બુલડોઝર
ઉત્તર પ્રદેશ બાદ હવે પંજાબમાં ગેરકાયદે દબાણને હટાવવા માટે બુલડોઝર ચાલશે.
ચંદીગઢઃ ઉત્તર પ્રદેશ બાદ હવે પંજાબમાં ગેરકાયદે દબાણને હટાવવા માટે બુલડોઝર ચાલશે. સીએમ ભગવંત માને કહ્યુ કે જે પણ વગદાર લોકોએ જમીનો પર ગેરકાયદે દબાણ કરી રાખ્યુ છે તેમના પર બુલડોઝર ચલાવવામાં આવશે. માને કહ્યુ કે વિપક્ષમાં બેઠેલા અમુક લોકો સરકારી કોઠીઓ ખાલી કરવા માટે તૈયાર નથી, ત્યાં સુધી કે તેમણે કારો માટે પણ મુશ્કેલીથી પાસ લીધા છે. સીએમે કહ્યુ કે રાજ્ય સરકાર સરકારી ભૂમિ પર ગેરકાયદે દબાણને લઈને પણ બધાના કાગળો તૈયાર કરાવી રહી છે. માને કહ્યુ કે પંજાબમાં હવે ગેરકાયદે દબાણ પર બુલડોઝર ચાલશે અને કોઈને પણ છોડવામાં નહિ આવે. ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે હાલમાં જ પંચાયતો પર ગેરકાયદે દબાણને હટાવવાનુ અભિયાન ચલાવ્યુ છે.
પંજાબની પંચાયતોમાં લોકોએ લગભગ 5 હજાર એકર જમીન પર ગેરકાયદે દબાણ કરી રાખ્યુ છે. ભગવંત માન સરકારે આ દબાણોને છોડાવવા માટે કવાયત શરુ કરી દીધી છે. સરકારે પ્રશાસનને ગેરકાયદે દબાણોને કાનૂની પ્રક્રિયા હેઠળ હટાવવાના આદેશ જાહેર કરી દીધા છે. આ અભિયાનના પહેલ પડાવ હેઠળ 31 મે, 2022 સુધી 5 હજાર એકર પંચાયતી જમીનથી ગેરકાયદે દબાણ હટાવવાનુ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યુ છે. ગ્રામીણ વિકાસ તેમજ પંચાયત વિભાગે અમુક દિવસ પહેલા શિવાલિક પહાડીઓ પાસે ન્યૂ ચંદીગઢની નજીક બ્લૉક માજરીના ગામ અભીપુરની કરોડો રૂપિયાની ખૂબ જ કિમતી 29 એકર પંચાયતી જમીનનો કબ્જો છોડાવીને પંચાયતના હવાલે કરી દીધી છે.
રાજ્યના ગ્રામીણ વિકાસ તેમજ પંચાયત મંત્રી કુલદીપ ધાલીવાલએ અધિક ડેપ્યુટી કમિશ્નરો અને જિલ્લા વિકાસ અને પંચાયત અધિકારી સાથે હાલમાં જ એક ઉચ્ચ સ્તરીય મીટિંગ દરમિયાન અધિકારીઓને આદેશ આપીને કહ્યુ કે સિવિલ અને પોલિસ પ્રશાસનની મદદથી પંચાયતી જમીનથી ગેરકાયદે દબાણ હટાવવામાં આવે. ત્યારબાદ પ્રશાસન ગેરકાયદે દબાણની સૂચિ તૈયાર કરવામાં લાગી ગઈ છે.