પંજાબ સરકારની ચૂનાવી ચાલ, CM ચન્નીએ વીજળીના ભાવ ઘટાડવાની જાહેરાત કરી!
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વિધાનસભા ચૂંટણી પહેલા ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. સોમવારે મળેલી પંજાબ કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેતા રાજ્યમાં વીજળીના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
ચંદીગઢ, 01 નવેમ્બર : પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ વિધાનસભા ચૂંટણી પહેલા ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. સોમવારે મળેલી પંજાબ કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેતા રાજ્યમાં વીજળીના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી પંજાબની જનતાને તો રાહત મળી છે પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ માટે આ નિર્ણય કેટલો ફાયદાકારક સાબિત થશે. નોંધનીય છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પંજાબમાં ચૂંટણી જીત્યા બાદ 200 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.

પંજાબમાં ભૂતકાળમાં પણ વીજળી ચૂંટણીનો મુદ્દો રહ્યો છે, પરંતુ આ વખતે કોંગ્રેસ સરકારે મોટો નિર્ણય લઈને વીજળીના દરમાં પ્રતિ યુનિટ 3 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જો કે, કેબિનેટની બેઠક પહેલા અટકળો લગાવવામાં આવી હતી કે પંજાબ સરકાર દિલ્હીની જેમ રાજ્યમાં વીજળીના કેટલાક યુનિટ મફતમાં ઉપલબ્ધ કરાવી શકે છે પરંતુ એવું થયું નહીં. સોમવારે પંજાબમાં વીજળીના ભાવને લઈને કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી, જેની અધ્યક્ષતા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કરી હતી. બેઠકમાં સીએમએ કહ્યું કે સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે પંજાબના લોકો કાં તો સસ્તી વીજળી ઇચ્છે છે અથવા તો 300 યુનિટ મફત આપવામાં આવે.
સર્વેમાં મોટાભાગના લોકોએ કહ્યું કે, તેમને સસ્તી વીજળી જોઈએ છે, આ બાબતને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે રેટ કટની જાહેરાત કરી છે. સીએમ ચન્નીએ કહ્યું કે, પંજાબમાં વીજળીના દરમાં 3 રૂપિયા પ્રતિ યુનિટનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે, આ ઘટાડો શૂન્યથી 7 કિલોવોટના દરમાં કરવામાં આવ્યો છે. પહેલા 100 યુનિટ માટે 4.19 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે યુનિટ દીઠ ત્રણ રૂપિયાનો ઘટાડો થશે. પંજાબ કેબિનેટે PSPCLના GVK ગોઇન્દવાલ સાહિબ PPAને રદ કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી, જે યુનિટ દીઠ 6-7ના ભાવે વીજળી પૂરી પાડતી હતી. હવે પંજાબે પોતાનું 500 મેગાવોટનું ટેન્ડર જાહેર કર્યું છે. વીજળીનો દર 2.38 રૂપિયા પ્રતિ યુનિટ રહેશે.
ઉલ્લેખનિય છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી વીજળીનો મુદ્દો સતત ચૂંટણીમાં ચર્ચામાં રહ્યો છે. હવે બીજા રાજ્યોમાં પણ આ મુદ્દે રાજનીતિ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
