પંજાબ સરકારનુ મોટુ એલાન, પરાલી બાળતા ખેડૂતો પર નહિ થાય કોઈ કાર્યવાહી
પંજાબના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે મોટી જાહેરાત કરી છે.
ચંદીગઢઃ પંજાબના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે મોટી જાહેરાત કરી છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે પંજાબ સરકારે પરાલી સળગાવનારા ખેડૂતો સામે કોઈ કાર્યવાહી નહિ કરવાનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પરાલી સળગાવનારા ખેડૂતો પર મેમો ફાડવામાં આવ્યા છે પરંતુ આ વખતે ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે. પંજાબ સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે જે ખેડૂતો પરાલી સળગાવે છે તેમના માટે કોઈપણ પ્રકારનુ ચલણ કાપવામાં આવશે નહિ.
પંજાબ સરકાર ખેડૂતોને તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છે પરંતુ ખેડૂતો પર પરાલી સળગાવવા પર કોઈ કડકાઈ કરવામાં નહિ આવે. નોંધનીય છે કે તાજેતરમાં જ પંજાબ સરકારે કડકાઈ દાખવતા વહીવટીતંત્રને ખેડૂતોના રેવન્યુ રેકોર્ડમાં રેડ એન્ટ્રી કરવાની સાથે જ પરાલી સળગાવવા માટે દંડની પણ સૂચના આપી હતી. જેના કારણે ખેતીવાડી વિભાગ તરફથી વિવિધ સાધનોની સબસીડી, જમીન પર લીધેલી લોન સહિતની અનેક સુવિધાઓથી ખેડૂતો વંચિત રહી શકે છે.