પંજાબ: સુનીલ જાખડે કોંગ્રેસ છોડી, કહ્યું- ગુડલક અને ગુડબાય કોંગ્રેસ
પંજાબમાં કોંગ્રેસને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરે શનિવારે પાર્ટી છોડી દીધી છે. ફેસબુક લાઈવ પર આવતા સુનીલ જાખરે કહ્યું ગુડલક અને ગુડબાય કોંગ્રેસ…!!ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન
પંજાબમાં કોંગ્રેસને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરે શનિવારે પાર્ટી છોડી દીધી છે. ફેસબુક લાઈવ પર આવતા સુનીલ જાખરે કહ્યું ગુડલક અને ગુડબાય કોંગ્રેસ...!!

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીની ટીકા બદલ નેતૃત્વ દ્વારા તેમને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી. એક સપ્તાહ બાદ આજે તેમણે પાર્ટી છોડી દીધી હતી. તેઓ ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. આજે તેણે પાર્ટી સાથે નાતો તોડી નાખ્યો હતો.
સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસના ચિંતન શિબિર વચ્ચે સુનીલ જાખરે પાર્ટીને અલવિદા કહી દીધું છે. જાખરે કૉંગ્રેસ હાઈકમાન્ડ પર કૅપ્ટન અમરિન્દર સિંહને હટાવ્યા પછી સીએમની નિમણૂકના મુદ્દે પંજાબના કોઈ ખાસ નેતાને સાંભળવાનો આરોપ લગાવ્યો. જાખરે કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યા વિના જ પાર્ટી છોડી દીધી હતી.












Click it and Unblock the Notifications
