મુજફ્ફરનગર રેલ્વે અકસ્માત : 23 લોકોની મોત અને 40 ઇજાગ્રસ્ત
મુજફ્ફરનગર રેલ અકસ્માત 23 લોકોની મોત 50 ઇજાગ્રસ્ત. પુરીથી હરિદ્વાર જતી ટ્રેન થઇ આ દુર્ધટના. વધુ જાણો અહીં.
ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર નગરમાં મોટી રેલ્વે દુર્ધટના થઇ છે. પુરીથી હરિદ્વાર તરફ જઇ રહેલી કલિંગ- ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી જતા રાતના 10 વાગ્યા સુધીમાં 23 યાત્રીઓના મોત થયા હોવાની અને 40થી 50 લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી મળી છે. ટ્રેન રાતના 9 વાગે હરિદ્વાર પહોંચવાની હતી અને તે પહેલા જ આ દુર્ધટના થઇ છે. હાલ 30થી વધુ એમ્બ્યુલન્સ ત્યાં ઇજાગ્રસ્તોની મદદ માટે મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સાથે જ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ પણ મુજફ્ફરનગરના ખતૌલીમાં થયેલી રેલ્વે દુર્ધટનાની જાણકારી આપતા ટ્વિટ કરીને જણાવ્યું કે લોકોને બચાવવા માટે રેલ્વે પ્રસાશન બનતો પ્રયાસ કરી રહ્યું છે.

વધુમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ દુર્ધટના અંગે શોક વ્યક્ત કર્યો છે. સાથે જ પરિજનોની મદદ માટે સરકાર દ્વારા 09760534054/ 5101 નંબર પર કોલ કરીને જાણકારી મેળવવાનું જણાવવામાં આવ્યું છે. પહેલા આ હુમલાને આંતકી હુમલાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી હતી પણ હાલ તેવું પણ જાણવા મળ્યું છે કે રેલ્વેની ભૂલના કારણે જ દુર્ધટના બની હોય. જો કે હજી સુધી તપાસ ચાલુ છે અને આ રેલ્વે દુર્ધટના કેવી રીતે થઇ તે અંગે કોઇ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત નથી થઇ.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
