For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડ: રઘુવર દાસે મુખ્યમંત્રી પદના શપથ લીધા

|
Google Oneindia Gujarati News

રાંચી, 28 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના નેતા રઘુવર દાસે રવિવારે ઝારખંડના નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા. પરંતુ ઐતિહાસિક પળોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગહમંત્રી રાજનાથી સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હાજરી આપી નહીં.

નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વિટર પર લખ્યું કે 'હું રઘુવર દાસને ઝારખંડના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવું છું. હું શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લઇને ઝારખંડની યાત્રા કરવાનો હતો, પરંતુ ખરાબ હવામાનના કારણે હું ત્યાં આવી શક્ય નહીં.'

રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે હવામાનનો સૌથી ઠંડો દિવસ રહ્યો, જ્યારે સવારે ન્યૂનતમ તાપમાન 2.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. કોહરાના કારણે દશ્યતા 50 મીટરની નીચે પહોંચી ગઇ છે. મોદીએ જણાવ્યું કે ઝારખંડની જનતાએ સ્થિરતા માટે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે 'હું તેમને શુભેચ્છા આપુ છું કે આવનાર વર્ષોમાં ઝારખંડ સફળતાની નવી ઊંચાઇઓ સર કરશે, તેના માટે શુભેચ્છા પાઠવું છું.'

raghubar das
નોંધનીય છે કે મુખ્યમંત્રી રઘુવરદાસ પહેલા બિન આદીવાસી સમુદાયના વ્યક્તિ છે. જો રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. જમશેદપુર પૂર્વથી પાંચવાર વિધાયક રહેલા રઘુવર દાસ(60) ઝારખંડના 10માં મુખ્યમંત્રી છે. રઘુવર દાસની સાથે અન્ય ચાર મંત્રીઓ પણ આજે શપથ ગ્રહણ કર્યા.

નોંધનીય છે કે ઝારખંડની 81 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપ તથા ગઠબંધન પાર્ટી ઓલ ઝારખંડ સ્ટૂડેંટ યૂનિયનને બહુમતી હાસિલ થઇ છે. ભાજપાએ 37 બેઠકો, જ્યારે એજેસીએ પાંચ બેઠકો જીતી છે.

English summary
Raghubar Das was on Sunday sworn in as Jharkhand Chief Minister while Nilkanth Singh Munda, Chandreswar Prasad Singh, Chandraprakash Choudhary and Louis Marandi were worn-in as cabinet ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X