ઝારખંડ : રઘુબર દાસે લીધા મુખ્યમંત્રી પદના શપથ, ન પહોંચી શક્યાં મોદી
રાંચી, 28 ડિસેમ્બર : ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપ નેતા રઘુબર દાસે રવિવારે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં, પરંતુ આ ઐતિહાસિક ક્ષણમાં ઠંડી વિક્ષેપ બની રહી. ઠંડીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ તથા ગૃહ મંત્રી રાજનાથ સિંહ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી ન બની શક્યાં.

I would like to congratulate Shri Raghubar Das on taking over as Jharkhand CM & convey my best wishes to him.
— Narendra Modi (@narendramodi) December 28, 2014
પાટનગર નવી દિલ્હી ખાતે રવિવારે મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો. સવારનું લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી નોંધાયું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટરથી નીચે પહોંચી ગઈ. મોદીએ જણાવ્યું કે ઝારખંડની પ્રજાએ સ્થિરતા માટે મતદાન કર્યું છે. મોદીએ જણાવ્યું - હું તેમને અભિનંદન પાઠવુ છું અને આવનાર વર્ષોમાં ઝારખંડ સફળતાની નવી ઉંચાઇઓ સર કરે, તેવી શુભેચ્છા પાઠવુ છું.
Was to travel to Jharkhand to attend the oath taking ceremony of Shri Raghubar Das but am unable to do so due to weather conditions.
— Narendra Modi (@narendramodi) December 28, 2014
નોંધનીય છે કે મુખ્યમંત્રી રઘુબર દાસ એવા પહેલા બિનઆદિવીસ સમુદાયની વ્યક્તિ છે કે જેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યાં છે. જમશેદપુર પૂર્વ મત વિસ્તારમાંથી પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયેલા રઘુબર દાસ (60) ઝારખંડના દસમા મુખ્યમંત્રી બન્યાં છે. તેમની સાથે ચાર મંત્રીઓએ પણ શપથ લીધાં.
ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટે તાજેતરમાં જ યોજાયેલ ચૂંટણીમાં ભાજપ અને તેની યુતિની પાર્ટી ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યૂનિયન એટલે કે આજસૂને બહુમતી હાસલ થઈ છે. ભાજપને 37 બેઠકો, જ્યારે આજસૂને પાંચ બેઠકો હાસલ થઈ છે.
More From
-
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી







Click it and Unblock the Notifications
