છત્તીસગઢ નક્સલી હુમલોઃ CRPF ચીફના નિવેદન પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યુ - આપણા જવાનો આ રીતે શહીદ થવા માટે નથી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલામાં 22 જવાનોના શહીદ થયા બાદ સીઆરપીએફ ચીફના નિવદેન પર નારાજગી વ્યક્ત કરી છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલામાં 22 જવાનોના શહીદ થયા બાદ સીઆરપીએફ ચીફના નિવદેન પર નારાજગી વ્યક્ત કરી છે. રાહુલે કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના મહાનિર્દેશક કુલદીપ સિંહના એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે જેમાં તેમણે કહ્યુ છે કે આ કોઈ ઈંટેલીજન્સ ફેલિયર નહોતુ. રાહુલે કહ્યુ છે કે જો આ ઈંટેલીજન્સ ફેલિયર નહોતુ તો શું હતુ? શું આપણા જવાન આ રીતે શહીદ થવા માટે છે?

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને એ સમાચાર પણ શેર કર્યા છે જેમાં સીઆરપીએફ ચીફ કુલદીપ સિંહના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે આ ઑપરેશનમાં કોઈ ઈંટેલીદન્સ ફેલિયર નથી. ઑપરેશનમાં 25થી 30 અથવા તેનાથી પણ વધુ માઓવાદી માર્યા ગયા છે. આના પર રાહુલ ગાંધીએ લખ્યુ છે - જો આ ઈંટેલીજન્સ ફેલિયર નહોતુ, તો એક નક્સલીના મરવા સાથે એક જવાનનો જીવ જવાનો રેશિયો જણાવે છે કે આ બહુ જ નબળુ ઑપરેશન હતુ અને તેને બહુ ખોટી રીતે ચલાવવામાં આવ્યુ હતુ. આપણા જવાનોના જીવ આટલા સસ્તા નથી, તેમને આ રીતે શહીદ ન થવા દઈ શકાય.
નક્સલી હુમલામાં શહીદ થયા 22 જવાન
છત્તીસગઢમાં બીજાપુર અને સુકમા જિલ્લીની સીમા પર શનિવારે(3 એપ્રિલ) નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં 22 જવાન શહીદ થયા છે. છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 400 કિલોમીટર દૂર સુકમા અને બીજાપુરની સીમા પર તરન વિસ્તારના જંગલોમાં આ અથડામણ થઈ. ત્યારબાદ દેશભરમાં શોકનો માહોલ છે. બધી પાર્ટીઓના નેતા આના માટે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યુ હતુ - છત્તીસગઢમાં યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપનાર શહીદોના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ગુમ જવાનોને શોધવા અને તેમના બચાવ માટે નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર છે. હું રાજ્ય સરકારને અપીલ કરુ છુ કે તે ઘાયલોની વહેલી તકે દેખરેખ સુનિશ્ચિત કરે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
