છત્તીસગઢ નક્સલી હુમલોઃ CRPF ચીફના નિવેદન પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યુ - આપણા જવાનો આ રીતે શહીદ થવા માટે નથી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલામાં 22 જવાનોના શહીદ થયા બાદ સીઆરપીએફ ચીફના નિવદેન પર નારાજગી વ્યક્ત કરી છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી હુમલામાં 22 જવાનોના શહીદ થયા બાદ સીઆરપીએફ ચીફના નિવદેન પર નારાજગી વ્યક્ત કરી છે. રાહુલે કેન્દ્રીય રિઝર્વ પોલિસ બળ(સીઆરપીએફ)ના મહાનિર્દેશક કુલદીપ સિંહના એ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે જેમાં તેમણે કહ્યુ છે કે આ કોઈ ઈંટેલીજન્સ ફેલિયર નહોતુ. રાહુલે કહ્યુ છે કે જો આ ઈંટેલીજન્સ ફેલિયર નહોતુ તો શું હતુ? શું આપણા જવાન આ રીતે શહીદ થવા માટે છે?

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને એ સમાચાર પણ શેર કર્યા છે જેમાં સીઆરપીએફ ચીફ કુલદીપ સિંહના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે આ ઑપરેશનમાં કોઈ ઈંટેલીદન્સ ફેલિયર નથી. ઑપરેશનમાં 25થી 30 અથવા તેનાથી પણ વધુ માઓવાદી માર્યા ગયા છે. આના પર રાહુલ ગાંધીએ લખ્યુ છે - જો આ ઈંટેલીજન્સ ફેલિયર નહોતુ, તો એક નક્સલીના મરવા સાથે એક જવાનનો જીવ જવાનો રેશિયો જણાવે છે કે આ બહુ જ નબળુ ઑપરેશન હતુ અને તેને બહુ ખોટી રીતે ચલાવવામાં આવ્યુ હતુ. આપણા જવાનોના જીવ આટલા સસ્તા નથી, તેમને આ રીતે શહીદ ન થવા દઈ શકાય.
નક્સલી હુમલામાં શહીદ થયા 22 જવાન
છત્તીસગઢમાં બીજાપુર અને સુકમા જિલ્લીની સીમા પર શનિવારે(3 એપ્રિલ) નક્સલીઓ સાથે થયેલી અથડામણમાં 22 જવાન શહીદ થયા છે. છત્તીસગઢની રાજધાની રાયપુરથી લગભગ 400 કિલોમીટર દૂર સુકમા અને બીજાપુરની સીમા પર તરન વિસ્તારના જંગલોમાં આ અથડામણ થઈ. ત્યારબાદ દેશભરમાં શોકનો માહોલ છે. બધી પાર્ટીઓના નેતા આના માટે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ રવિવારે ટ્વિટ કરીને લખ્યુ હતુ - છત્તીસગઢમાં યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપનાર શહીદોના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ગુમ જવાનોને શોધવા અને તેમના બચાવ માટે નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર છે. હું રાજ્ય સરકારને અપીલ કરુ છુ કે તે ઘાયલોની વહેલી તકે દેખરેખ સુનિશ્ચિત કરે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ










Click it and Unblock the Notifications
