આવનાર ચૂંટણી બાદ રાહુલ ગાંધી બનશે પ્રધાનમંત્રી: શિંદે
ત્રીજા મોર્ચાને રદિયો આપતા તેમણે જણાવ્યું કે આવનાર વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જ સત્તા પર આવશે અને રાહુલ ગાંધી જ પ્રધાનમંત્રી બનશે જેના માટે પાર્ટી સતત પ્રયાસ કરી રહી છે.
કાશ્મીર ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિંસામાં વધારો તેમજ આતંકવાદી હુમલાઓમાં વધારાના સવાલ પર ગૃહમંત્રીએ કેટલાક દિવસોમાં બે મોટી ઘટનાઓ ઘટી છે. જેના સંબંધમાં કેન્દ્રની પાસે પહેલાથી જ સૂચનાઓ હતી અલર્ટ પર જારી કર્યું હતું. જમ્મૂ-કાશ્મીરમાં બરફ પીગળવા દરમિયાન સરહદ પારથી આતંકવાદીઓના ઘુસવાની સંભાવનાને જોતા તમામ તૈયારીઓ કરી લેવાઇ છે. હિજબુલના શંકાસ્પદ આતંકવાદી લિયાકત હુસૈનના સંબંધમાં જમ્મૂ-કાશ્મીરમાં સરકારના વધતા દબાણના સંબંધમાં પૂછવામાં આવેલા સવાલને પગલે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દેની તપાસ માટે એનઆઇયૂને સોંપી દેવામાં આવી છે.
તેમના રિપોર્ટ પર જ આગળ કોઇ કાર્યવાઇ કરવામાં આવશે. અર્ધ સૈનિકદળોમાં સેનાની જેમ એક રેંક એક પેંશન પોલિસી લાગૂ કરવાના સવાલ પર તેમણે જણાવ્યું કે અત્રે આવીને મામૂમ પડ્યું છે કે સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સમાં 2004 બાદ પેંશન વ્યવસ્થા બંધ કરી દીધી છે.