For Daily Alerts
મોદીની રેલી માટે રેલેવે વિભાગ નહીં આપે મેદાન!
બીજેપી આ રેલીના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહી છે. રેલીને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ દ્વારા સંબોધિત કરવાનો પણ કાર્યક્રમ છે. ઉત્તર મધ્ય રેલવેના વરિષ્ઠ ઇજનેરે બીજેપીના જિલ્લાધ્યક્ષ સુરેન્દ્ર મૈથાની આ અંગેની સૂચના આપી દીધી છે. વરિષ્ઠ ઇજનેરે જણાવ્યું કે રેલવે બોર્ડે 2004માં જ રાજનૈતિક કાર્યક્રમો માટે રેલવેનું મેદાન અથવા અન્ય સંપત્તિઓને નહીં આપવાનો નિર્ણય કર્યો હતો.
આની વચ્ચે બીજેપીના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે જણાવ્યું કે મોદીની રેલી માટે પાર્ટી અન્ય કોઇ મેદાન શોધી લેશે, કેન્દ્ર અને રાજ્ય સરકાર મોદીની રેલીઓમાં અડચણ નાખવાનો બરાબર પ્રયાસ કરી રહી છે.
Comments
English summary
Uttar Pradesh Railway department refused to give garden for Narendra Modi's rally.
Story first published: Friday, September 27, 2013, 17:57 [IST]