મોદીને મારું સમર્થન; ભાજપના અધ્યક્ષને નહીં : રાજ ઠાકરે
મુંબઇ, 16 એપ્રિલ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ભાજપની પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સમર્થન આપવાનું જણાવીને ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ પર નિશાન તાક્યું છે. રાજ ઠાકરેએ રાજનાથ સિંહને એ વાતનો કડકડતો જવાબ આપ્યો છે જેમાં રાજનાથે માંગ્ય વગર નરેન્દ્ર મોદીને સમર્થન આપવાની રાજ ઠાકરેની વાત પર ટીકા કરી હતી.
રાજ ઠાકરે એટલા માટે ગુસ્સામાં છે કારણ કે રાજનાથ સિંહે એમ કહ્યું હતું કે રાજ શિવસેના, ભાજપ કે આરપીઆઇ યુતિમાં સામેલ થયા વિના મોદીના નામે વોટ માંગી રહ્યા છે.

રાજ ઠાકરેએ મંગળવારે પુનામાં એક ચૂંટણી સભાને સંબોધતા જણાવ્યું કે 'મેં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને મારું સમર્થન આપ્યું છે. રાજનાથને નહીં. મોદી આ મુદ્દે ચૂપ છે તો આપ શા માટે આ મુદ્દે બોલી રહ્યા છો?' આ બોલચાલી એવા સમયે થઇ રહી છે જ્યારે શનિવારે પુના ખાતેની રેલીમાં નરેન્દ્ર મોદીએ મનસે દ્વારા આપવામાં આવી રહેલા સમર્થન અંગે એક શબ્દ ઉચ્ચાર્યો ન હતો.
આ સાથે રાજ ઠાકરેએ ભાજપના નેતા ગોપીનાથ મુંડેને પોતાનું સમર્થન આપવાની વાત જાહેર કરી હતી. મુંડે મહારાષ્ટ્રની બીડ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
