બિહારમાં રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 4નાં મોત
નવી દિલ્હી, 25 જૂનઃ બિહારના છપરા પાસે ગોલ્ડીનગંજમાં રાજધાની એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. દિલ્હીથી ડિબ્રુગઢ જતી રાજધાની એક્સપ્રેસની 12 બોગીઓ પાટા પરથી ઉતરી ગઇ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત નીપજ્યાં છે અને અનેક ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની નજીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વઘશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ દુર્ઘટના રાત્રે 2.13 વાગ્યે થયો હતો. જેમાં રાજધાની એક્સપ્રેસના B1 થી B7 સુધી તમામ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એ સમયે ટ્રેનમાં તમામ લોકો ઉંઘી રહ્યાં હતા, ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ. ઘટનાસ્થળે રાહત કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે પૂર્ણતાના આરે છે. કેન્દ્ર સરકાર તરફથી મૃતકોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
રેલવે બોર્ડના ચેરમેન અરુણેંદ્ર કુમાર અનુસાર એન્જીન અને 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જો કે જીએમ અનુસાર કુલ 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે. રેલવે બોર્ડના અધ્યક્ષ અરુણેંદ્ર કુમારે ઘટનામાં નક્સલીઓના હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નક્સલીઓએ બંધનું એલાન કર્યું હતું. તેવામાં નક્સલીઓનો હાથ હોવાનો ઇન્કાર કરી શકાય નહીં.
રેલવે બોર્ડે દુર્ઘટનમાં માર્યા ગયેલા લોકોના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર અને ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર તથા સામાન્ય રીતે ઇજા પામેલાઓને 20 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવે દુર્ઘટનાની જાણકારી માટે હેલ્પલાઇન નંબર 06279-6510, 06224- 2226778 જારી કરવામાં આવ્યા છે.
બિહારમાં રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 4નાં મોત
બિહારના છપરા પાસે ગોલ્ડીનગંજમાં રાજધાની એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. દિલ્હીથી ડિબ્રુગઢ જતી રાજધાની એક્સપ્રેસની 12 બોગીઓ પાટા પરથી ઉતરી ગઇ છે.
બિહારમાં રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત નીપજ્યાં છે અને અનેક ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની નજીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વઘશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
બિહારમાં રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
આ દુર્ઘટના રાત્રે 2.13 વાગ્યે થયો હતો. જેમાં રાજધાની એક્સપ્રેસના B1 થી B7 સુધી તમામ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. એ સમયે ટ્રેનમાં તમામ લોકો ઉંઘી રહ્યાં હતા, ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ. ઘટનાસ્થળે રાહત કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું, જે પૂર્ણતાના આરે છે. કેન્દ્ર સરકાર તરફથી મૃતકોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
બિહારમાં રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
રેલવે બોર્ડના ચેરમેન અરુણેંદ્ર કુમાર અનુસાર એન્જીન અને 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જો કે જીએમ અનુસાર કુલ 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા છે. રેલવે બોર્ડટના અધ્યક્ષ અરુણેંદ્ર કુમારે ઘટનામાં નક્સલીઓના હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
બિહારમાં રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
નક્સલીઓએ બંધનું એલાન કર્યું હતું. તેવામાં નક્સલીઓનો હાથ હોવાનો ઇન્કાર કરી શકાય નહીં.
બિહારમાં રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
બિહારમાં રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી