For Quick Alerts
For Daily Alerts
સંઘની શરણે ભાજપ, આજે રાજનાથ મોહન ભાગવતને મળશે
સંઘ મુખ્યાલયમાં ભાજપના મુખ્ય નેતાઓની અવર-જવરથી ક્યાસ લગાવવામાં આવી રહ્યાં છે કે નરેન્દ્ર મોદીના વધતા જતા કદ બાદ પાર્ટી હાઇકમાન્ડ ફરી સંઘ આગળ નતમસ્તક થઇ રહ્યું છે. લાલકૃષ્ણ અડવાણી જે પ્રકારે શુક્રવારે સંઘ મુખ્યાલયથી નિકળ્યા બાદ નરેન્દ્ર મોદી પ્રત્યે નરમ પડતાં જોવા મળ્યા હતા તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે હવે નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે મળીને કામ કરવાનું ફરમાન સંઘે આપી દિધું છે.
લાલકૃષ્ણ અડવાણીએ સંઘની સાથે પોતાના સંબંધોનો હવાલો આપતાં કહ્યું હતું કે જ્યારે તે 14 વર્ષના હતા ત્યારથી આરએસએસ સાથે જોડાયેલા છે. તેમને જણાવ્યું હતું કે સંઘ સરકાર્યવાહક ભૈયાજી જોશી સાથે દિવસભર ચર્ચા થઇ, બાદમા તે સરસંઘચાલક મોહન ભાગવત સાથે મળ્યા હતા.
Comments
lk advani rajnath singh rss mohan bhagwat nagpur લાલકૃષ્ણ અડવાણી રાજનાથ સિંહ આરએસએસ મોહન ભાગવત નાગપુર
English summary
After BJP leader LK Advani, party president Rajnath Singh met Rashtriya Swayamsevak Sangh chief Mohan Bhagwat in Nagpur on Saturday.
Story first published: Saturday, July 6, 2013, 14:40 [IST]