રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જુલાઈએ લેશે શપથ, એક અતિથિની મંજૂરી
રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જુલાઈએ અંતર-સત્ર દરમિયાન શપથ લેશે.
રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જુલાઈએ અંતર-સત્ર દરમિયાન શપથ લેશે. આ વખતે કોરોના વાયરસ (કોવિડ-19) સંક્રમણના કારણે શપથ ગ્રહણ પહેલી વાર સંસદ ભવનમાં થશે. સામાન્ય રીતે નવા ચૂંટાયેલા સભ્યો સભા દરમિયાન કે પછી રાજ્યસભાના સભાપતિની સામે જ શપથ લે છે. આ સાથે જ આ વખતે કોરોના વાયરસથી બચવાના બધા ઉપાયોનુ પણ પાલન થશે. ખાસ કરીને સામાજિક અંતરનુ ધ્યાન રાખવામાં આવશે. આ વર્ષે પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા સહિત કુલ 61 રાજ્યસભા સભ્યો શપથ લેશે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીના કારણે માર્ચ મહિનાથી સંસદ સ્થગિત છે. ત્યારબાદથી સંસદની પ્રક્રિયા પણ શરૂ થઈ નથી. એવામાં રાજ્યસભા સીટો પર જે 61 સભ્યો ચૂંટાઈને આવ્યા તેમને શપથ અપાવી શકાઈ નથી. હવે આ બધાને 22 જુલાઈએ શપથ અપાવવામાં આવશે. રાજ્યસભાના અધિકારીઓનુ કહેવુ છે કે શપખ લેનારસભ્યો પોતાની સાથે એક અતિથિને લાવી શકે છે. માહિતી મુજબ અધિકારીઓનુ કહેવુ છે કે રાજ્યસભાના મહાસચિવે 22 જુલાઈએ શપથગ્રહણ માટે નવા ચૂંટાયેલા સભ્યોને લેખિતમાં સૂચિત કર્યુ છે. આ દિવસે જે સભ્ય ન આવી શકે તેમને સંસદના ચોમાસુ સત્રમાં શપથ અપાવવામાં આવશે.
તેમનુ કહેવુ છે કે નવા સભ્યો માટે શપથગ્રહણની યોજના પહેલેથી બનાવી લેવામાં આવી હતી પરંતુ અમુક સભ્યોએ ચિંતા વ્યક્ત કરી રહી તે દિલ્લીના યાત્રા નહિ કરી શકે. ત્યારબાદથી તેને ટાળી દેવામાં આવ્યુ હતુ. આ સાથે જ અધિકારીઓએ એમ પણ કહ્યુ હતુ કે તિરુચિ શિવા અને કેશવ રાજ જેવા અમુક નવા સભ્યો કે પછી ફરીથી ચૂંટાયેલા અમુક સભ્યો સંસદીય સમિતિના અધ્યક્ષ પણ છે. આ લોકો શપથ વિના સંબંધિત સમિતિઓની બેઠક આયોજિત નથી કરી શકતા. આ ઉપરાંત જે નવનિર્વાચિત સભ્ય છે તે પણ શપથ લીધા વિના બેઠકમાં શામેલ ન થઈ શકે.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
