For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભામાં લોકપાલ બિલ પાસઃ રાલેગણમાં ઉત્સવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 ડિસેમ્બરઃ ભ્રષ્ટાચાર સામેના લોકપાલ બિલને આજે રાજ્યસભામાં મતદાન કરીને પાસ કરવામાં આવ્યું છે. જો કે આ તકે સમાજવાદી પાર્ટી તેનાથી દૂર રહ્યું હતું. બીજી તરફ રાજ્યસભામાં આ બિલ પાસ થઇ ગયા બાદ અણ્ણા હજારેના ગામ રાલેગણ સિદ્ધિમાં જાણે કે ઉત્સવનો માહોલ સર્જાયો હોય તેવું જણાઇ રહ્યું છે.

anna-hazare-support-to-congress
બિલ પાસ થવા અંગે અણ્ણા હજારેએ કહ્યું કે, રાજ્યસભામાં આ બિલ પાસ કરવા બદલ હું તેમને અભિનંદન પાઠવું છું અને મને વિશ્વાસ છે કે હવે લોકસભામાં પણ આ બિલ પાસ થઇ જશે. આ બિલ આવવાથી દેશમાંથી 50 ટકા ભ્રષ્ટાચાર ખતમ થઇ જશે. તેમણે કહ્યું કે કાલે લોકસભામાં આ બિલ પાસ થઇ જશે ત્યારે તેઓ પોતાના અનશન ખતમ કરી દેશે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અણ્ણા હજારે દ્વારા દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદાને લઇને જન લોકપાલ બિલની માગ કરી હતી. જેને લઇને દેશમાં એક ક્રાન્તિકારી માહોલ પણ ઉભો કરવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે અણ્ણા દ્વારા અનશન કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે સરકાર દ્વારા પોતાનું એક લોકપાલ બિલ રજુ કરવામાં આવ્યું, જેનો પણ અણ્ણા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. થોડાક સમય માટે આ લડાઇ સમી ગયા બાદ અણ્ણાએ ફરી લોકપાલ બિલની માગ સાથે રાલેગણ સિદ્ધિમાં અનશન શરૂ કર્યા હતા. ત્યારે આ વખતે સરકારે અણ્ણાના લોકપાલ બિલને મળતું આવતુ બિલ પાસ કરવાની ખાતરી દર્શાવી હતી.

English summary
Anna Hazare expresses happiness as Rajya Sabha passes Lokpal Bill; says he will end his indefinite fast if Lok Sabha also passes it on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X