રાકેશ ટિકૈતે કહ્યું, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા રાજીનામુ આપે નહીંતર અહીંથી થશે આંદોલનની જાહેરાત
ટીકુનિયામાં ખેડૂતોની આત્મશાંતિ માટે છેલ્લી અરદાસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને BKUના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ ખેડૂતોની શ્રદ્ધાંજલિ સભામાં લખીમપુર પહોંચ્યા હતા.
લખીમપુર : ટીકુનિયામાં ખેડૂતોની આત્મશાંતિ માટે છેલ્લી અરદાસ (શ્રદ્ધાંજલિ સભા)નો કાર્યક્રમ ચાલી રહ્યો છે. કોંગ્રેસના મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી અને ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત પણ ખેડૂતોની શ્રદ્ધાંજલિ સભામાં લખીમપુર પહોંચ્યા હતા. બંને નેતાઓ અહીં 3 ઓક્ટોબરના રોજ હિંસામાં માર્યા ગયેલા ચાર ખેડૂતો સહિત આઠ લોકોને શ્રદ્ધાંજલિ આપશે. આ દરમિયાન આરએલડી નેતા જયંત ચૌધરી પણ લખીમપુર પહોંચી ગયા છે.

શ્રદ્ધાંજલિ સભામાં વાત કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ રાજીનામું આપવું જોઈએ. જો તે રાજીનામું નહીં આપે તો તેમને અહીંથી (શ્રદ્ધાંજલિ સભા) આંદોલનની જાહેરાત કરશે. ટિકૈતે જણાવ્યું કે, લખનઉમાં એક મોટી પંચાયત હશે અને ખેડૂતોની અસ્થી સમગ્ર દેશના દરેક જિલ્લામાં જશે અને અંજલિ આપશે. 24 ઓક્ટોબરના રોજ લોકો આ અસ્થીનું વિસર્જન કરવામાં આવશે. આ દરમિયાન ટિકૈતે જણાવ્યું કે, આ અરદાસ ખેડૂતોની આત્માની શાંતિ માટે રાખવામાં આવી છે અને તેને રાજનીતિ સાથે જોડીને જોવું જોઈએ નહીં.
રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, ખેડૂતો તેમની માગ પર અડગ છે કે, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીની ધરપકડ કરવામાં આવે, કારણ કે તેમની બરતરફી વગર આ તપાસ યોગ્ય રીતે થશે નહીં. મંત્રીના પુત્ર આશિષ મિશ્રાની ધરપકડ એક રેડ કાર્પેટ છે. જો મંત્રીને તાત્કાલિક હટાવવામાં નહીં આવે તો આ આંદોલન આ રીતે ચાલુ રહેશે. અમે શહીદ થયેલા જવાનોના ઘરે પણ જઈશું, ખેડૂતોની સાથે દરેકને જવાનના ઘરે પણ જવું જોઈએ અને અમે અગાઉ પણ જતા રહ્યા છીએ. જવાન પણ ખેડૂતોના પુત્રો છે.
ખેડૂતોની છેલ્લી પ્રાર્થનાને ધ્યાનમાં રાખીને સરકાર લખીમપુર ખેરી સહિત સમગ્ર પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ મોડમાં છે. રાજ્ય સરકારને ડર છે કે, તેમની એક ભૂલથી પશ્ચિમ યુપીમાં માહોલ ખરાબ શકે છે. એટલા માટે સરકારે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે પશ્ચિમ યુપીમાં 20 IPS અધિકારીઓને તૈનાત કર્યા છે. આ સાથે જ રાષ્ટ્રીય લોક દળ (RLD) ના પ્રમુખ જયંત ચૌધરી, જે લખીમપુર જઈ રહ્યા હતા, તેમને બરેલી જિલ્લા વહીવટી તંત્રે એરપોર્ટ પર રોક્યા હતા. જો કે, થોડા સમય બાદ જયંત ચૌધરીને લખીમપુર જવાની પરવાનગી મળી. ઉલ્લેખનીય છે કે, જયંત ચૌધરી લખીમપુર ખેરી પહોંચી ગયા છે અને ખેડૂતની અંતિમ અરદાસમાં જોડાયા છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
