ભાજપ સંસદીય બોર્ડ પર જેઠમલાણીએ કર્યો કેસ, કરોડાના વળતરની માંગણી
નવી દિલ્હી, 21 ઓક્ટોબર: ભાજપમાંથી કાઢી મૂકવામાં આવેલા વરિષ્ઠ વકિલ રામ જેઠમલાણીએ ભાજપ સંસદીય બોર્ડના નિર્ણય વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની યાચિકામાં રામ જેઠમલાણીએ માંગણી કરી છે કે તેમની હકાલપટ્ટીના નિર્ણયને તાત્કાલિક રદ કરવો જોઇએ. રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદી અને વાજપાઇ ઉપરાંત સંસદીય બોર્ડના બધા સભ્યો પાસે 50-50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી.
રામ જેઠમલાણીએ કહ્યું હતું કે તેમની હકાલપટ્ટી અસંવૈધાનિક છે અને આ તેમને બદનામ કરવા માટે કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી અનુશાસનહીનતાના મુદ્દે મે 2013માં ભાજપ સરકારમાં કાઢી મુકવામાં આવ્યા હતા. રામ જેઠમલાણી નરેન્દ્ર મોદીના અંગત માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે ભાજપ દ્રારા રાજ્યસભાની સીટ તેમને નરેન્દ્ર મોદીના કહેવા પર મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરે દાખલ કરવામાં આવેલી અરજીમાં રામ જેઠમલાણી બોર્ડના 9 સભ્યોનો પ્રતિવાદી બનાવતાં દરેક પાસે 50 લાખના વળતરની માંગણી કરી છે. એટલે કે ભાજપે આ મુજબ 4.5 કરોડ રૂપિયાનું વળતર આપવું પડી શકે છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ






Click it and Unblock the Notifications
