ભાજપ સંસદીય બોર્ડ પર જેઠમલાણીએ કર્યો કેસ, કરોડાના વળતરની માંગણી
નવી દિલ્હી, 21 ઓક્ટોબર: ભાજપમાંથી કાઢી મૂકવામાં આવેલા વરિષ્ઠ વકિલ રામ જેઠમલાણીએ ભાજપ સંસદીય બોર્ડના નિર્ણય વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની યાચિકામાં રામ જેઠમલાણીએ માંગણી કરી છે કે તેમની હકાલપટ્ટીના નિર્ણયને તાત્કાલિક રદ કરવો જોઇએ. રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદી અને વાજપાઇ ઉપરાંત સંસદીય બોર્ડના બધા સભ્યો પાસે 50-50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી.
રામ જેઠમલાણીએ કહ્યું હતું કે તેમની હકાલપટ્ટી અસંવૈધાનિક છે અને આ તેમને બદનામ કરવા માટે કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી અનુશાસનહીનતાના મુદ્દે મે 2013માં ભાજપ સરકારમાં કાઢી મુકવામાં આવ્યા હતા. રામ જેઠમલાણી નરેન્દ્ર મોદીના અંગત માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે ભાજપ દ્રારા રાજ્યસભાની સીટ તેમને નરેન્દ્ર મોદીના કહેવા પર મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરે દાખલ કરવામાં આવેલી અરજીમાં રામ જેઠમલાણી બોર્ડના 9 સભ્યોનો પ્રતિવાદી બનાવતાં દરેક પાસે 50 લાખના વળતરની માંગણી કરી છે. એટલે કે ભાજપે આ મુજબ 4.5 કરોડ રૂપિયાનું વળતર આપવું પડી શકે છે.












Click it and Unblock the Notifications
