Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપ સંસદીય બોર્ડ પર જેઠમલાણીએ કર્યો કેસ, કરોડાના વળતરની માંગણી

નવી દિલ્હી, 21 ઓક્ટોબર: ભાજપમાંથી કાઢી મૂકવામાં આવેલા વરિષ્ઠ વકિલ રામ જેઠમલાણીએ ભાજપ સંસદીય બોર્ડના નિર્ણય વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની યાચિકામાં રામ જેઠમલાણીએ માંગણી કરી છે કે તેમની હકાલપટ્ટીના નિર્ણયને તાત્કાલિક રદ કરવો જોઇએ. રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદી અને વાજપાઇ ઉપરાંત સંસદીય બોર્ડના બધા સભ્યો પાસે 50-50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી.

રામ જેઠમલાણીએ કહ્યું હતું કે તેમની હકાલપટ્ટી અસંવૈધાનિક છે અને આ તેમને બદનામ કરવા માટે કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી અનુશાસનહીનતાના મુદ્દે મે 2013માં ભાજપ સરકારમાં કાઢી મુકવામાં આવ્યા હતા. રામ જેઠમલાણી નરેન્દ્ર મોદીના અંગત માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે ભાજપ દ્રારા રાજ્યસભાની સીટ તેમને નરેન્દ્ર મોદીના કહેવા પર મળી હતી.

ram-jethmalani

અત્રે ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરે દાખલ કરવામાં આવેલી અરજીમાં રામ જેઠમલાણી બોર્ડના 9 સભ્યોનો પ્રતિવાદી બનાવતાં દરેક પાસે 50 લાખના વળતરની માંગણી કરી છે. એટલે કે ભાજપે આ મુજબ 4.5 કરોડ રૂપિયાનું વળતર આપવું પડી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X