ભાજપ સંસદીય બોર્ડ પર જેઠમલાણીએ કર્યો કેસ, કરોડાના વળતરની માંગણી
નવી દિલ્હી, 21 ઓક્ટોબર: ભાજપમાંથી કાઢી મૂકવામાં આવેલા વરિષ્ઠ વકિલ રામ જેઠમલાણીએ ભાજપ સંસદીય બોર્ડના નિર્ણય વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની યાચિકામાં રામ જેઠમલાણીએ માંગણી કરી છે કે તેમની હકાલપટ્ટીના નિર્ણયને તાત્કાલિક રદ કરવો જોઇએ. રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદી અને વાજપાઇ ઉપરાંત સંસદીય બોર્ડના બધા સભ્યો પાસે 50-50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી.
રામ જેઠમલાણીએ કહ્યું હતું કે તેમની હકાલપટ્ટી અસંવૈધાનિક છે અને આ તેમને બદનામ કરવા માટે કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી અનુશાસનહીનતાના મુદ્દે મે 2013માં ભાજપ સરકારમાં કાઢી મુકવામાં આવ્યા હતા. રામ જેઠમલાણી નરેન્દ્ર મોદીના અંગત માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે ભાજપ દ્રારા રાજ્યસભાની સીટ તેમને નરેન્દ્ર મોદીના કહેવા પર મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરે દાખલ કરવામાં આવેલી અરજીમાં રામ જેઠમલાણી બોર્ડના 9 સભ્યોનો પ્રતિવાદી બનાવતાં દરેક પાસે 50 લાખના વળતરની માંગણી કરી છે. એટલે કે ભાજપે આ મુજબ 4.5 કરોડ રૂપિયાનું વળતર આપવું પડી શકે છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
