ગડકરી મુદ્દે કેજરીવાલના 'બોમ્બ' પહેલા જેઠમલાણીનો 'ધડાકો'
પાર્ટીના નેતા રામ જેઠમલાણીએ કહ્યું છે કે તેમની પાસે ગડકરી દ્વારા કરવામાં આવેલી નાણાકીય ગેરરીતિના પુરાવા છે. જેઠમલાણીએ કહ્યું છેકે જો અરવિંદ કેજરીવાલ દ્વારા ગડકરી વિરુદ્ધ ગેરરીતિના પુરાવાઓ આપશે તો તેઓ માત્ર કેજરીવાલને સમર્થન જ નહીં કરે પરંતુ ભાજપ પ્રમુખ દ્વારા જે ખોટું કરવામા આવ્યું છે તેના પુરાવા પણ આપશે.
તેમણે વધુમાં કહ્યું છે કે જો આરોપો જણાશે તો તેઓ ગડકરીના રાજીનામાની પણ માંગણી કરશે. સુરજકુંડમાં જ્યારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી તે દરમિયાન 27 સપ્ટેમ્બરે જેઠમલાણી દ્વારા ગડકરીને એક પત્ર લખવામાં આવ્યો હતો.
જેઠમલાણીએ કહ્યું કે, મોટાભાગના ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે કાણું નાણુંએ કોઇ મુદ્દો નથી અને આ વાત જાહેર ના થાય તે માટે પાર્ટીના પ્રવક્તાને સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે આઇએસીના કાર્યાકર્તા અંજલી દામાનિયા દ્વારા એવા આરોપ લગાવવામાં આવ્યા હતા કે ભાજપ પ્રમુખ અને શરદ પવાર વચ્ચે વ્યપારિક સંબંધો છે.