ઈમરાનના નિવેદન પર રામ માધવનો જવાબ, ‘ભારતની ચૂંટણીથી દૂર જ રહો તો સારુ રહેશે'
ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નિવદેન પર જોરદાર જવાબ આપી દીધો છે.
ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના નિવદેન પર જોરદાર જવાબ આપી દીધો છે. તેમણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને કહ્યુ કે સારુ રહેશે કે તમે ભારતની સામાન્ય ચૂંટણીથી દૂર રહો. તેમણે કહ્યુ કે ભારતના પ્રધાનમંત્રી કોણ હશે, એ ભારતના લોકો નક્કી કરશે, અમે એનો નિર્ણય લેવામાં સક્ષમ છીએ, અમારે સીમાથી પાર લોકોની સલાહ નથી જોઈતી. જ્યારે અમે પાછા સત્તામાં આવીશુ, અમને ખબર છે કે પડોશીઓ સાથે કેવી રીતે ડીલ કરવાનું છે. અમને કોઈ પણ પ્રકારના સૂચન કે સલાહ સીમા પારથી નથી જોઈતા.

આ પહેલા દેશનના સંરક્ષણ મંત્રી સીતા રમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનું એ કહેવુ કે બંને દેશો વચ્ચે શાંતિની વાત ત્યારે જ સંભવ છે કે જ્યારે એક વાર ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે, આ કોંગ્રેસની ચાલ છે. કોંગ્રેસ પીએમ મોદીના નેતૃત્વવાળી સરકારને બહાર કરવા ઈચ્છે છે. આ જ કારણ છે કે તેણે આ ચાલ ચાલી છે. નિર્મલા સીતારમણના આ નિવેદનનું સમર્થન કરીને રામ માધવે કહ્યુ કે સારુ રહેશે કે પાકના પ્રધાનમંત્રી ભારતની ચૂંટણીથી દૂર રહે.
તમને જણાવી દઈએ કે ઈમરાન ખાને કહ્યુ હતુ કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી ચૂંટણી જીતીને આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની પહેલ માટે સારુ રહેશે. વળી, જ્યારે રામ માધવને પૂછવામાં આવ્યુ કે શુંભારતની સેનાને જાણીજોઈને રાજકારણમાં ઉપયોગ કરાઈ રહી છે તો તેમણે કહ્યુ કે આ વિપક્ષ છે તો સેનાના નામે રાજનીતિ કરી રહ્યો છે અને ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યો છે. તે બાલાકોટ એર સ્ટ્રાઈકનો મુદ્દો ઉઠાવીને સેનાના પગલા પર સવાલ ઉભા કરી રહ્યા છે. આ લોકો સરકાર પર સવાલ નથી ઉભા કરી રહ્યા પરંતુ સેનાની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કરી રહ્યા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
