રેપ કેસમાં રામ રહિમનું ભાવિ કોર્ટ આજે નક્કી કરશે
બાબા રામ રહીમ પર લાગ્યો છે બળાત્કારનો આરોપ. સીબીઆઇ કોર્ટેમાં આજે આવશે તેનો ચુકાદો. આ અંગે તમામ જાણકારી મેળવવા વાંચો આ લેખ
આજે હરિયાણાના પંચકુલામાં કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો એટલે કે સીબીઆઇની વિશેષ અદાલતમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ પર સાધ્વીથી બળાત્કાર કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપશે. આ દરમિયાન કોઇ પણ અપ્રિય ઘટના ના થાય તે માટે સરકારે પંચકુલા સમતે સમગ્ર હરિયાણા અને ચંદીગઢમાં સુરક્ષા વ્યવસ્થા તેનાત કરી છે. ડેરાના ગૃહ જનપદ સિરસામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. અને મોબાઇલ નેટવર્ક પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ અંગે તમામ જાણકારી જાણવા આ પેજને રિફ્રેશ કરતા રહો.
ઉલ્લેખનીય છે કે રામ રહીમે પણ સર્મથકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. અને સર્મથકોને પાછા તેમના ઘરે જવાનું કહ્યું છે. સવારે કોર્ટ સ્થળે 800 ગાડીઓના કાફલા સાથે રામ રહીમ પંચકૂલા પહોચ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં રામ રહીમના સમર્થકો પંચકુલામાં ઉમટી રહ્યા છે. વધુમાં હરિયાણા અને ગુડગાંવ, ફરિદાબાદમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સક્રીય રાખવામાં આવી છે. હરિયાણામાં સ્થિતિને જોતા 74 ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે.