સવર્ણોને 15 ટકા અનામત આપવુ જોઈએઃ રામવિલાસ પાસવાન
છેલ્લા થોડા દિવસોથી જે રીતે સવર્ણએ ભારત બંધ કર્યુ હતુ તે બાદ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સવર્ણોને અનામત આપવાની વાત કરી છે.
છેલ્લા થોડા દિવસોથી જે રીતે સવર્ણએ ભારત બંધ કર્યુ હતુ તે બાદ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને સવર્ણોને અનામત આપવાની વાત કરી છે. પાસવાનને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું સવર્ણોને કંઈક અનામત આપવુ જોઈએ તો તેમણે કહ્યુ કે કંઈક કેમ તેમને 15 ટકા અનામત આપવુ જોઈએ. તેમણે કહ્યુ કે તમિલનાડુમાં કુલ 69 ટકા અનામત છે. જો બધા રાજકીય પક્ષો નિર્ણય લે તો કોઈ મુશ્કેલી નહિ થાય. મહત્તમ 50 ટકાના અનામતની સીમામાં કોઈ મુશ્કેલી નહિ આવે. પાસવાને કહ્યુ કે ભાજપ ક્યારેય સવર્ણોની વિરુદ્ધમાં ના હોઈ શકે. સવર્ણો પક્ષની કરોડરજ્જુ છે અને તે પક્ષના પ્રાકૃતિક સમર્થક છે.

વી પી સિંહ અને મોદીએ આંબડકરને તેમનું યોગ્ય સમ્માન આપ્યુ
થોડા મહિના પહેલા દલિતોએ પણ મોદી સરકાર સામે રસ્તા પર પ્રદર્શન કર્યુ હતુ પરંતુ પ્રદર્શન પાસવાને કહ્યુ છે કે છ મહિના પહેલા અમારી સામે ખૂબ પ્રદર્શન થયુ, મંત્રીઓ માટે આગળ વધવુ મુશ્કેલ બની રહ્યુ હતુ. મોદી સરકાર દલિત વિરોધી અને પછાત વિરોધી ગણવામાં આવતા હતા. લોકો મને પૂછતા હતા કે તમે તો દલિતોના ચેમ્પિયન છો, તમે કેમ શાંત છો? દલિતો અને પછાત વર્ગ માટે ખૂબ કામ કર્યુ છે પરંતુ લોકો વચ્ચે એવા વિચારોને આગળ વધારવામાં આવ્યા હતા કે દલિતો, પછાતો માટે કંઈ કર્યુ નથી. પરંતુ હવે આ વિચાર બદલાઈ ચૂક્યો છે. હું હંમેશા કહુ છુ કે વી પી સિંહ અને નરેન્દ્ર મોદીએ બી આર આંબેડકરનો યોગ્ય સમ્માન આપ્યુ છે.

સરકારે બતાવ્યુ કેવી રીતે બદલાય છે વિચારો
પાસવાને કહ્યુ કે જે રીતે સુપ્રિમ કોર્ટે એસસી એસટી એક્ટ પર ચૂકાદો આપ્યો હતો. તે બાદ જ સરકારની અસલી પરીક્ષા હતી. યુવાનો રસ્તા પર હતા એવામાં જો વટહુકમ લાવવામાં ન આવે તો સ્થિતિ બગડી શકતી હતી. અમે સમિતિની રચના કરી જેની અધ્યક્ષતા રાજનાથ સિંહ કરી રહ્યા હતા અને નિર્ણય લેવામાં આવ્યો કે તત્કાળ પ્રભાવથી તેની સામે વટહુકમ લાવવામાં આવશે. પરંતુ બ્યૂરોક્રેસીની પોતાની ગતિ હોય છે, જે કંઈ પણ થયુ તે સારા માટે થયુ. જો લોકોઅ પ્રદર્શન ના કર્યુ હોત તો લોકોને ખબર ના પડત કે મોદી સરકારે તેમના માટે શું કર્યુ છે.

મોદી દલિત વિરોધી નથી
મોદી સરકાર દલિત વિરોધી નથી પરંતુ એ પ્રકારના વિચારો ફેલાવવામાં આવી રહ્યા હતા કે મોદી સરકાર દલિત વિરોધી છે. મે આ પહેલા પણ કહ્યુ હતુ કે વી પી સિંહ ક્ષત્રિય હતા. જો તે લોકોના વિચારોને બદલી શકે છે તો મોદી ના તો કોઈ ધનાઢ્ય પરિવારમાંથી આવે છે કે ના તો તે સવર્ણ જાતિના છે. માત્ર લોકોની વિચારધારા જ નથી બદલી પરંતુ લોકો એ કહેવા લાગ્યા છે કે અમે સવર્ણ વિરોધી છીએ. રાહુલ ગાંધી માનસરોવર ગયા હતા તો તેઓ એક વાર કહે કે એસસી એસટી એક્ટમાં ફેરફાર અયોગ્ય છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?






Click it and Unblock the Notifications
