For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇટલીના ઇશારે નાચે છે ભારત સરકાર: રામદેવ

|
Google Oneindia Gujarati News

baba ramdev
નવી દિલ્હી, 16 માર્ચ: એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા યોગ ગુરુ રામદેવે જણાવ્યું કે ઇટલીના લોકોને આ દેશમાં સંરક્ષણ મળી રહ્યું છે. જેના કારણે અનેક ઘોટાળા સામે આવી રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ભારત સરકાર ઇટલીના ઇશારા પર ચાલી રહ્યું છે.

જ્યારે બાબા રામદેવને પાકિસ્તાન અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે પ્રશ્નને ટાળતા જણાવ્યું કે પાકિસ્તાન પર ક્યારેય વિશ્વાસ કરી શકાય નહીં. ત્યારબાદ રામદેવે અત્રે ત્રણ દિવસીય વન વિકાસ શિબિરનું ઉદઘાટન કર્યું અને તેમણે પોતાનું જીવન સફળ બનાવવા માટે દવા, દારૂ અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહી કરવા પર ભાર મૂક્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કેરળના બે માછીમારો પર ફાયરિંગ કરી તેમની હત્યા કરનાર બે ઇટાલિયન મરિન્સને મતદાનનો હવાલો આપીને સ્વદેશ લઇ જનાર ઇટલી સરકારે પોતાના બે મરિન્સને ભારત પરત મોકલવાનો ઇનકાર કરી દીધો છે. બાબાએ આ આંતરરાષ્ટ્રીય મુદ્દાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો.

ભારતીય સુપ્રિમ કોર્ટે ઇટલીના બંને મરિન્સને મતદાન કરવા માટે સ્વદેશ જવા માટેની પરવાનગી આપી હતી, જોકે સુપ્રિમ કોર્ટે ઇટલીના રાજદૂતને ભારત બહાર નહી જવાના આદેશ આપ્યા છે. તેમજ ઇટલી સરકાર અને બંને મરિન્સને પણ 20 માર્ચ સુધી જવાબ આપવા નોટિસ ફટકારી છે.

English summary
ramdev baba fire on UPA government in a programme said UPA government doing as well as that of italy saying.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X