'મોદીના ઉદયથી નીતિશનું રાજકારણ ખતરામાં'
નવી દિલ્હી, 3 જૂલાઇઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, હું કોઇ રેમ્બો નથી કે હું 15 હજાર લોકોને બચાવીને લઇ આવું. તેમની આ કોમેન્ટને યોગગુરુ બાબા રામદેવને પસંદ પડી નથી, કારણ કે તે હાલ નમો-નમો જપી રહ્યાં છે. જી હાં, બાબા રામદેવે ઉત્તરાખંડમાં પૂરની ઝપેટમાં આપેલા 15 હજાર લોકોને બચાવનારા નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે, સાથે જ નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા છે.
બાબાએ કહ્યું કે, નીતિશને ભય છે કે જો મોદીનો રાષ્ટ્રીય સ્તર પર ઉદય થયો તો તેમનું રાજકારણ જોખમમાં પડી શકે છે. સાચું કહું તો નીતિશ કુમારે મોદીના વખામ કરવા જોઇતા હતા, જેમણે એ સમયે આટલી તત્પરતા દર્શાવી. બાબા રામદેવે કહ્યું કે હજુ સુધી મોદીથી સામ્રાજ્યવાદી તાકાતો ડરતી હતી, હવે જે લોકો પછાતોના દમ પર ઉપર ઉઠ્યા છે, તે પણ ડરવા લાગ્યા છે.













Click it and Unblock the Notifications
