રામદેવે કહ્યું, 'મોદી જ હરાવી શકે છે કોંગ્રેસને'
નવી દિલ્હી, 4 જૂનઃ એક તરફ ગ્વાલિયરમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓની તુલના કરતું એક વિવાદિત નિવેદન કરવામાં આવ્યા બાદ ખાસ્સી ચર્ચા જાગી હતી, હવે આ ચર્ચામાં આગ લગાવતું નિવેદન બાબા રામદેવ દ્વારા કરવામાં આવ્યું છે. બાબા રામદેવ જાણે કે અડવાણીને સીધો જ જવાબ આપતા હોય, તેમ કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ કેન્દ્રમાં કોંગ્રેસને હરાવી શકે છે.
યોગગુરુ બાબા રામદેવે મંગળવારે દિલ ખોલીને નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે, એકમાત્ર નરેન્દ્ર મોદી જ કોંગ્રેસને હરાવી શકે છે. હવે તો કોંગ્રેસની વિદાયમાં જ દેશની ભલાઇ છે. આ સાથે રામદેવે રાહુલ ગાંધી પર પણ નિશાનો તાક્યા હતા.
બાબા રામદેવે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ દેશ સાથે ગદ્દારી કરી છે. કોંગ્રેસના દાગ એવા છે કે તેને કોઇ પાવડરથી ધોઇ શકાય તેમ નથી. તેથી હવે કોંગ્રેસની વિદાયમાં જ દેશની ભલાઇ છે. દેશમાં નરેન્દ્ર મોદી એક સ્થાયી સરકાર આપી શકે છે. બાબા રામદેવે વધુમાં શું કહ્યું તે વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

મોદીમાં કોંગ્રેસને હરાવવાનો છે દમ
નરેન્દ્ર મોદીના વખાણ કરવાની સાથો સાથ વિરોધીઓ પર નિશાન પણ લગાવવાનું બાબા રામદેવ ભૂલ્યા નહીં, તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી સિવાય કોઇનામાં હિંમત નથી કે તેઓ કોંગ્રેસને હરાવી શકે, બાકી બધા બસ સ્વપ્ન જોઇ રહ્યાં છે.

રાહુલ પર સાધ્યો નિશાનો
રામદેવે રાહુલ ગાંધી અંગે કહ્યું કે, કોંગ્રેસના યુવરાજ, નરેન્દ્ર મોદી સામે નાદાન બાળક જેવા લાગે છે. તે મોદીને ટક્કર આપવા યોગ્ય નથી. રામદેવે કહ્યું કે, ગત વર્ષે તેમના આંદોલનને કૂચલી નાંખવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે જુલાઇમાં તે રામલીલા મેદાન કરતા પણ મોટું આંદોલન કરશે.

આ બાબતોના કારણે જશે સરકાર
બાબા રામદેવે કહ્યું કે વર્તમાન સરકાર આ ત્રણ બાબતોના કારણે જશે. એક સરકારની ખોટી આર્થિક નીતિઓ, બે ભ્રષ્ટાચાર અને ત્રણ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પીએમ છે જ નહીં, તે મોદી સામે પાંગળા દેખાય છે.

બાબા રામદેવે શું કહ્યું પત્રકાર પરિષદમાં
બાબા રામદેવે શું કહ્યું પત્રકાર પરિષદમાં
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
