રતન ટાટા બન્યા પીએમ કેયર્સ ફંડના ટ્રસ્ટી, જાણો બીજુ કોણ કોણ છે સામેલ?
પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને ભૂતપૂર્વ ડેપ્યુટી લોકસભા સ્પીકર કારિયા મુંડાને PM CARES ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે
પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને ભૂતપૂર્વ ડેપ્યુટી લોકસભા સ્પીકર કારિયા મુંડાને PM CARES ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બુધવારે સત્તાવાર નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઈ હતી જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સહિત નવનિયુક્ત સભ્યોએ ભાગ લીધો હતો. અમિત શાહ અને નિર્મલા સીતારમણ પણ ટ્રસ્ટી મંડળમાં છે.
વડા પ્રધાન કાર્યાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "વડાપ્રધાને પીએમ કેર્સ ફંડનો અભિન્ન ભાગ બનવા પર નવા ટ્રસ્ટીઓનું સ્વાગત કર્યું છે."
સલાહકાર બોર્ડમાં આ નામો સામેલ
- આ સાથે પીએમ કેયર્સ ફંડના સલાહકાર બોર્ડના સભ્યોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રાજીવ મેહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ અને ટીચ ફોર ઈન્ડિયાના સહ-સ્થાપક આનંદ શાહને સલાહકાર બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.
- વડાપ્રધાને કહ્યું કે નવા ટ્રસ્ટીઓ અને સલાહકારોની સામેલગીરી પીએમ કેર્સ ફંડની કામગીરીને વ્યાપક પરિપ્રેક્ષ્ય આપશે.
- નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે કટોકટી અને કટોકટીની પરિસ્થિતિઓનો અસરકારક રીતે સામનો કરવા માટે પીએમ કેર્સની મુખ્ય ભૂમિકા છે, માત્ર રાહત સહાય દ્વારા જ નહીં, કટોકટી અને સંકટની પરિસ્થિતિઓનો અસરકારક રીતે સામનો કરવા માટે PM CARES પાસે ઉત્તમ વિઝન છે."
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
