RBI ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું, પરિસ્થિતિ જલ્દી જ સામાન્ય થશે
આબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલે સંસદની લોક લેખા સમિતિને કહ્યું કે, નોટબંધી બાદ પરિસ્થિતિ જલ્દી જ સામાન્ય થઇ જશે.
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે સંસદની લોક લેખા સમિતિને જણાવ્યું છે કે, નોટબંધી બાદ હવે પરિસ્થિતિ જલ્દી જ સામાન્ય થઇ જશે. તેમણે પીએસીને જણાવ્યું કે, નોટબંધીના નિર્ણય બાદ રોકડની જે સમસ્યા સર્જાઇ છે, તે જલ્દી જ પુરી થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉર્જિત પટેલે પીએસીને જણાવ્યું કે, આવકવેરા વિભાગ અને આર્થિક ગુપ્ત બ્યૂરો આ બાબતે કાર્યવાહી કરી રહ્યાં છે કે બેન્ક ખાતાઓમાં વધુ પૈસા કઇ રીતે જમા કરવામાં આવ્યા.

ઉર્જિત પટેલે જણાવ્યું કે, અત્યારે અમે ગ્રામીણ વિસ્તારોમાં શરૂ થયેલી સમસ્યાઓમાં અમારું ધ્યાન પરોવાયેલું છે. સાથે જ તેમણે શહેરી વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે શું પગલા લેવામાં આવ્યા છે એ અંગે પણ જાણકારી આપી. તેમણે કહ્યું કે, ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઘટાડવા માટે પગલા લેવાઇ રહ્યાં છે. જીડીપી પર થોડા સમય માટે નોટબંધીની અસર જોવા મળશે, પરંતુ લાંબા ગાળે આ નિર્ણય ફાયદાકારક સાબિત થશે.
બુધવારે સંસદની સ્થાયી આર્થિક સમિતિ પેનલ સામે ઉર્જિત પટેલ એ નોહતા જણાવી શક્યા કે બેન્કોમાં કેટલા પૈસા જમા થયા છે અને નોટબંધી બાદ હવે ક્યારે પરિસ્થિતિ સામાન્ય થશે. પરંતુ તેમણે જણાવ્યું હતું કે, 9 લાખ કરોડ રૂપિયાની નવી ચલણી નોટો બજારમાં મુકવામાં આવી છે. આરબીઆઇ ના ગવર્નર ઉર્જિત પટેલને અસહજ થતાં જોઇ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેમને સલાહ આપી હતી કે, તેમણે બધા પ્રશ્નોના જવાબ આપવાની જરૂર નથી. સાથે જ તેમણે સમિતિના સભ્યોને પણ કહ્યું હતું કે, તેઓ આરબીઆઇ ની શાખનું પણ ધ્યાન રાખે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
