For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનિયા ગાંધી કહે તો ઝાડૂ લગાવવા માટે પણ તૈયાર છું: ચરણદાસ મહંત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

charandas-mahant
રાયપુર, 18 જૂન: કોંગ્રેસના વધુ એક નેતાનું નામ ખુશામતખોરોની યાદીમાં સામેલ થઇ ગયું છે. આ યાદીમાં નવું નામ કેન્દ્રીય કૃષિ તથા ફૂડ પ્રોસેસીંગ રાજ્ય મંત્રી ચરણદાસ મહંતનું છે. ચરણદાસ મહંતે તાજેતરમાં છત્તીસગઢ કોંગ્રેસ સમિતિનીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. ચરણદાસ મહંતે કહ્યું હતું કે જો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કહે તો તે ઝાડૂ મારવા માટે પણ તૈયાર છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી પોતાનું પદ સંભાળતાં ચરણદાસ મહંત પોતાની નવી જવાબદારીને સફળતાપૂર્વક નિભાવી શકશે કે નહી, આ અંગે તેમને પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી મને છત્તીસગઢના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં ઝાડૂ લગાવવાનું કહે તો પણ હું તે કામ કરીશ.

છત્તીસગઢમાં તાજેતરમાં થયેલા નક્સલી હુમલામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નંદકુમાર પટેલ સહિત 30 લોકોના નિધન બાદ ચરણદાસ મહંતને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે.

English summary
Charandas Mahant, who has been appointed as the working president of the Chhattisgarh State Congress Committee, has said that he is willing to sweep the floor if asked by party president Sonia Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X