Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આયોજન પંચને ખતમ કરવાની યોજના પાછળ જવાબદાર છે આ 5 કારણો

[મયંક દીક્ષિત] થોડા દિવસો પહેલાં સ્વતંત્રતા દિવસના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયોજન પંચના ન્યૂનતમ મહત્વ પર સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. ઇતિહાસમાં જઇએ તો 1930માં મૂળભૂત આર્થિક યોજનાઓ કાયદાકીય રીતે બનવાની શરૂ થઇ હતી.

સર્વપ્રથમ સરકારે ઔપચારિક રીતે એક કાર્ય યોજના બોર્ડનું નિર્માણ પણ કર્યું, જેને 1944 અને 1946 સુધી કામ કર્યું. દિગ્ગજ સભ્યો, અર્થશાસ્ત્રીઓએ 144-1946 સુધી 3 વર્ષ સુધી વિકાસની યોજનાઓ બનાવી.

સ્થાયી રીતે આયોજન પંચની રચના 15 માર્ચ 1950ના રોજ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી પંચે મહત્વના કામોને અંજામ આપ્યું. નવી સરકારના એજંડામાં શરૂઆતથી જ આ પંચને બિનમહત્વપૂર્ણ પ્રોજેક્ટ આપવામાં આવપવામાં આવવા લાગ્યા હતા. જાણો શું હતા કારણો.

 કામમાં નિષ્ક્રિય, નામમાં સક્રિય

કામમાં નિષ્ક્રિય, નામમાં સક્રિય

નવી સરકાર બન્યા બાદ આયોજન પંચની ભૂમિકા પર સવાલ ઉદભવવા લાગ્યા હતા. અઢી મહિનાથી વધુના કાર્યકાળ દરમિયાન આયોજન પંચ નિષ્ક્રિય રહ્યું. મોન્ટેંક સિંહ અહલુવાલિયાના રાજીનામા બાદ કોઇની નિમણૂંક કરવામાં ન આવી.

 જૂનું છે આયોજન, જોઇએ રિપ્લેસમેંટ

જૂનું છે આયોજન, જોઇએ રિપ્લેસમેંટ

નરેન્દ્ર મોદી મૉડલના અનુસાર આજના યુગમાં અયોજન પંચ જેવી સંસ્થાની પ્રાસંગિકતા ખતમ થઇ ચૂકી છે અને હાલના પડકારોનો સામનો કરવામાં આયોજન પંચને રિપ્લેસમેંટની જરૂરિયાત છે.

બનાવનારે બગાડી વાત

બનાવનારે બગાડી વાત

પ્લાનિંગ કમિશન પર 'પ્લાનિંગ' ત્યારે જ થવા લાગ્યું હતું જ્યારે કેન્દ્ર સરકારે ફ્લેગશિપ સ્કીમોની ઉપયોગિતાની સમીક્ષા કરવા માટે ઇન્ડિપેંડેંટ ઇવૈલ્યૂએશન ઓફિસ (આઇઇઓ) બનાવી હતી. જોકે આઇઇઓ પોતે આયોજન પંચ સાથે સંબદ્ધ રહે છે, પરંતુ મોદી સરકાર બન્યા બાદ 3 દિવસમાં જ તેને પોતે આયોજન પંચને ખતમ કરવાની ભલામણ આપી દિધી. ભલામણે આ રહ્યું છે કે તેને રિફોર્મ એંડ સોલ્યુશન કમીશન પાસે રિપ્લેસ કરવું જોઇએ.

 કાર્યકાળની અસર

કાર્યકાળની અસર

જો કે કોંગ્રેસના લાંબા કાર્યકાળ દરમિયાન મોટાભાગે યોજનાઓ ભ્રષ્ટાચારના મુદ્દે દબાયેલી રહી છે. જ્યારે-જ્યારે સરકારી પ્લાનની સમીક્ષાનો સમય આવ્યો ત્યારે-ત્યારે ભ્રષ્ટાચારની લાંબી યાદીએ પંચની સાખને નબળી કરી દિધી.

 ગરીબીનો વિવાદિત આંકડો

ગરીબીનો વિવાદિત આંકડો

આયોજનના પ્રત્યેક તબક્કાના સફળ અમલીકરણ માટે જરૂરી મશીનરીનું નિર્ધારણ કરવું પ્રમુખ રીતે પંચની જવાબદારી હતી. ઉપાધ્યક્ષ મોંટેક સિંહ અહલૂવાલિયાએ જ્યારે ગરીબીનો વિવાદિત આંકડો રાખ્યો તો દેશની સાથે-સાથે પંચને પણ આઘાત પહોંચ્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X