બોર્ડર પર અમન અને શાંતિ શિવાય ચીન સાથે સંબંધો સુધરી શકશે નહી: એસ જયશંકર
ચીન સાથેના સરહદી વિવાદને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પૂર્વ લદ્દાખમાં સરહદી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની કોઈપણ આશા અસરકારક સાબિત થઈ શકે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે ભારત પણ ચીન સાથે સંબંધો સુધારવા માંગે છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે સરહદી વિસ્તારોમાં શાંતિનું વાતાવરણ હોય. આવી સ્થિતિમાં જ્યાં સુધી બંને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી બંને દેશ આગળ વધી શકશે નહીં.

મોદી સરકારના નવ વર્ષ પૂરા થવાના અવસરે એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન એકમાત્ર મુખ્ય શક્તિ કેન્દ્ર છે જેની સાથે ભારતના સંબંધો તાજેતરના સમયમાં આગળ વધ્યા નથી. તેમણે કહ્યું કે બંને દેશોએ પીછેહઠનો રસ્તો શોધવો પડશે. ભારત કોઈપણ પ્રકારની ગુંડાગીરી કે ઉશ્કેરણીજનક કાર્યવાહીથી પ્રભાવિત થતું નથી. બંને પક્ષોએ સૈનિકોને પાછા ખેંચવાના માર્ગો શોધવા પડશે.
ચીન સાથેના સંબંધો પર સવાલોના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે એ વાત સાચી છે કે સંબંધોને અસર થાય છે અને અસર થતી રહેશે. 2020 સૈનિકોની અથડામણનો ઉલ્લેખ કરતા, વિદેશ મંત્રીએ કહ્યું કે સરહદ પર આ પ્રકારની ઉગ્રતા હિંસા તરફ દોરી શકે છે. અમે ચીન સાથે સંબંધો સુધારવા માંગીએ છીએ, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે સરહદી વિસ્તારોમાં શાંતિ અને અમન હશે.
સાથે જ તેમણે કહ્યું કે ભારત અને ચીન પાડોશી અને મોટી અર્થવ્યવસ્થાના દેશો છે, જેમના સારા સંબંધો હોવા જરૂરી છે. પેંગોંગ લેક વિસ્તારમાં હિંસક અથડામણ બાદ પૂર્વી લદ્દાખ સરહદ પર અથડામણ વધી હતી. આ પછી બંને પક્ષો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોની શ્રેણી શરૂ થઈ.
ચીન સિવાય ભારતના તમામ મોટા દેશો અને મોટા જૂથો સાથે સારા સંબંધો છે. ચીને 2020માં સરહદી વિસ્તારોમાં સેના ખસેડવાના કરારને જાણી જોઈને તોડ્યો હતો, જેના કારણે અમને પણ આવું કરવાની ફરજ પડી હતી.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
