Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Live: નાગરિકતા બિલ 2016 પર કોંગ્રેસનું લોકસભાથી વોક આઉટ

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટો દાવ રમતા ગરીબ સવર્ણો (આર્થિક રૂપે પછાત ઉંચી જાતિ) માટે 10 ટકા આરક્ષણ આપવાનું નક્કી કર્યું છે.

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટો દાવ રમતા ગરીબ સવર્ણો (આર્થિક રૂપે પછાત ઉંચી જાતિ) માટે 10 ટકા આરક્ષણ આપવાનું નક્કી કર્યું છે. આજે આ બિલ લોકસભામાં સંવિધાનિક મંજૂરી આપવા માટે રજુ કરવામાં આવશે. આરક્ષણ બિલને જોતા રાજ્યસભાના સત્રને એક દિવસ વધારે એટલે કે 9 જાન્યુઆરી સુધી વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારની કોશિશ છે કે આ બિલ ઉચ્ચ સદનમાં પાસ કરાવવામાં આવે પરંતુ બહુમત નહીં હોવાને કારણે આ બિલ પર રાજ્યસભામાં સરકારને મુશ્કિલ વેઠવી પડી શકે છે.

parliament

Jan 08, 2019, 5:42 pm IST

અમે આ કોટા બિલનું સમર્થન કરીયે છે, અમે તેના વિરુદ્ધ નથી, પરંતુ જે રીતે તેને લાવવામાં આવી રહ્યું છે તે તેની ઈમાનદારી પર સવાલ ઉભા કરે છે: કેવી થોમસ
Jan 08, 2019, 5:41 pm IST

ગરીબો માટે 10 ટકા આરક્ષણ એક જુમલા બનીને ના રહી જ્યાં, તેને ખુબ જ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે: કેવી થોમસ
Jan 08, 2019, 5:40 pm IST

નાગરિકતા સંશોધન વિધેયક 2019 લોકસભાથી પાસ
Jan 08, 2019, 2:53 pm IST

નાગરિકતા બિલ 2016 પર કોંગ્રેસનું લોકસભાથી વોક આઉટ
Jan 08, 2019, 2:52 pm IST

ત્રણ રાજ્યોમાં હાર પછી ભાજપને આરક્ષણની યાદ આવી, તેમનો ઈરાદો આરક્ષણ આપવાનો નથી. જો બિલ સંસદમાં પાસ નહીં થયું તો તેઓ કહેશે કે અમે પ્રયાસ તો કર્યો: ઉમર અબ્દુલ્લાહ
Jan 08, 2019, 2:13 pm IST

સવર્ણ આરક્ષણ બિલને કેટ્લીક શરતો સાથે સમર્થન કરશે સમાજવાદી પાર્ટી, રામ ગોપાલ યાદવે ઓબીસી કોટા વધારવાની માંગ કરી
Jan 08, 2019, 2:12 pm IST

રાફેલથી બચવા માટે સરકાર આરક્ષણ કાર્ડ રમી રહી છે: જેએમએમ
Jan 08, 2019, 2:11 pm IST

સવર્ણો માટે 10 ટકા આરક્ષણ સાથે જોડાયેલા બિલને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બસપા અને એનસીપી ઘ્વારા સમર્થન આપવામાં આવ્યું. ડીએમકે ઘ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. બિલ પર સાંજે 5 વાગ્યે ચર્ચા થશે.
Jan 08, 2019, 2:09 pm IST

લોકસભામાં સામાજિક ન્યાય મંત્રી થાવર ચંદ ગેહલોતે સવર્ણો માટે 10 ટકા અનામત આપવા સાથે જોડાયેલું સંવિધાનિક સંશોધન બિલ રજુ કર્યું.
Jan 08, 2019, 2:07 pm IST

ભારે હંગામા વચ્ચે ટ્રેડ યુનિયન સંશોધન બિલને સંસદમાં રજુ કરવામાં આવ્યું
Jan 08, 2019, 10:50 am IST

બસપા સુપ્રીમો માયાવતીએ ગરીબ સવર્ણોને આરક્ષણ આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું
Jan 08, 2019, 9:53 am IST

આમ જોવા જઇયે તો સંવિધાનમાં આ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા નથી તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે નિર્ણય લાગુ કરવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે.
Jan 08, 2019, 9:51 am IST

એક હજાર વર્ગ ફીટથી નાના ઘરવાળાઓને પણ આનો લાભ મળશે. નિગમમાં આવાસીય પ્લોટ છે તો 109 યાર્ડથી ઓછી જમીન હોય કે પછી નિગમથી બહાર પ્લોટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય તેને પણ આનો લાભ મળશે.
Jan 08, 2019, 9:51 am IST

સૂત્રો મુજબ અનામતનો લાભ માત્ર એ જ સવર્ણોને મળશે જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે. આ ઉપરાંત જેમની પાંસે પાંચ એકરથી ઓછી જમીન હશે તે પણ આના હકદાર ગણાશે.
Jan 08, 2019, 9:50 am IST

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટો દાવ ખેલીને આર્થક રીતે નબળા સવર્ણોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ અનામતનો કોટા 49.5 ટકાથી વધીને 59.5 ટકા થઈ જશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X