રોબર્ટ વાડ્રા લડશે અમેઠીથી લોકસભા ચૂંટણી, પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ
Lok Sabha election 2024: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ ફરી એકવાર સક્રિય રાજકારણમાં આવવા અને આગામી લોકસભા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે.
રોબર્ટ વાડ્રાએ અમેઠીથી ચૂંટણી લડવા પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ દ્વારા અમેઠી બેઠકની પસંદગીને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
રોબર્ટ વાડ્રાએ ચૂંટણી લડવા અંગે અટકળો વધારી - ચૂંટણી લડવા અંગે અટકળો વધારતા રોબર્ટ વાડ્રાએ સોમવારે (08 એપ્રિલ) જણાવ્યું હતું કે, તેમને અમેઠી સહિત સમગ્ર દેશમાંથી પાર્ટીના કાર્યકરોના ફોન આવી રહ્યા છે, અને તેઓ તેમનો ટેકો વ્યક્ત કરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી IANS સાથેની મુલાકાતમાં રોબર્ટ વાડ્રાએ જણાવ્યું હતું કે, માત્ર અમેઠી જ નહીં, મને રાજકારણમાં સક્રિય રીતે સામેલ થવા માટે સમગ્ર દેશમાંથી પાર્ટીના કાર્યકર્તાઓનું સમર્થન મળી રહ્યું છે.
હા, હું સ્વીકારું છું કે, અમેઠીનો મુદ્દો (તેમના મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડવાનો) વધુ મહત્ત્વનો બની રહ્યો છે. કારણ કે, મેં ત્યાં 1999થી પ્રચાર કર્યો હતો.
રોબર્ટ વાડ્રાએ જણાવ્યું હતું કે, પોસ્ટરો જુદા જુદા રાજ્યોમાં દેખાવા લાગ્યા છે. કારણ કે, લોકો પાર્ટી દ્વારા વર્ષોથી કરેલા કામને ઓળખી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે.

રોબર્ટ વાડ્રાએ જણાવ્યું હતું કે, તેમને (અમેઠીના લોકોને) લાગે છે કે, જો હું ત્યાંથી ચૂંટણી લડું તો તેમને સ્મૃતિજીને ચૂંટવાની તેમની ભૂલ સુધારવાની તક મળશે.
મને ખાતરી છે કે, જો હું ચૂંટણી લડીશ તો તેઓ મને જંગી માર્જિનથી જીતાડશે. જોકે, સ્મૃતિજીએ ભૂતકાળમાં મારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા હોય, તો પણ હું કોઈને પડકારવા માટે લડીશ નહીં.
રોબર્ટ વાડ્રાએ જણાવ્યું હતું કે, જો તેમના સાળા રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાનું નક્કી કરશે, તો તેઓ તેમને સંપૂર્ણ સમર્થન બતાવશે.
રોબર્ટ વાડ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, જો રાહુલ ગાંધી વિચારે છે કે, વાયનાડ પછી તેમણે અમેઠીથી પણ ચૂંટણી લડવી જોઈએ, તો હું તેમને સંપૂર્ણ સમર્થન આપીશ અને તેમના પ્રચાર દરમિયાન તેમની સાથે રહીશ.
આ ઉપરાંત, લોકો સાથે વાતચીત કરવા માટે મારે સક્રિય રાજકારણમાં રહેવાની જરૂર નથી. અમેઠીના લોકો જાણે છે કે, જો રાહુલ કે પ્રિયંકા ચૂંટણી લડવા માટે ન હોય તો તેઓ મને ગમે ત્યારે મળી શકે છે.












Click it and Unblock the Notifications
